શોધખોળ કરો

Ind Vs NZ 3rd T20: ભારત-ન્યૂઝીલેન્ડ મેચ ટાઇ થવા પર કન્ફ્યૂઝન, કેમ ના થઇ સુપર ઓવર?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મંગળવારે રમાયેલી ત્રીજી T20 મેચ ટાઈ રહી હતી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મંગળવારે રમાયેલી ત્રીજી T20 મેચ ટાઈ રહી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 3 ટી-20 મેચોની શ્રેણી 1-0થી કબજે કરી લીધી છે. નેપિયરમાં રમાયેલી ત્રીજી મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. વરસાદના કારણે મેચ મોડા શરૂ થઈ હતી.  બાદમાં તેને અધવચ્ચે અટકાવવી પડી હતી. પરંતુ જ્યારે મેચ ટાઈ જાહેર થઈ ત્યારે ચાહકોના મનમાં એક મૂંઝવણ પણ ઉભી થઈ હતી.

અત્યાર સુધી ઘણીવાર એવું જોવા મળે છે કે ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ અથવા ICC ટુર્નામેન્ટની પ્લેઓફ મેચોમાં જ થાય છે. અન્ય મેચને રદ જાહેર કરવામાં આવે છે. પરંતુ નેપિયરમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં આવું બન્યું ન હતું. આ મૂંઝવણને દૂર કરવા માટે ICCના નવા નિયમોને સમજવા જરૂરી છે.

ભારત-ન્યૂઝીલેન્ડ T20 મેચમાં શું થયું?

નેપિયરમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 160 રન બનાવ્યા હતા. ડેવોન કોનવે અને ગ્લેન ફિલિપ્સની અડધી સદીના કારણે ન્યૂઝીલેન્ડ આ સ્કોર સુધી પહોંચ્યું હતું. એક સમયે એવું લાગતું હતું કે તે 200ને પણ પાર કરી શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે 4-4 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડને રોકી દીધું હતું.

જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ આવી ત્યારે તેની શરૂઆત ખરાબ રહી હતી. ઈશાન કિશન, ઋષભ પંત સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા અને શ્રેયસ અય્યર પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયા હતા. સૂર્યકુમાર યાદવ આ મેચમાં કંઈ જ અદભૂત પ્રદર્શન કરી શક્યો નહોતો  અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 60 રન હતો.

જ્યારે મેચમાં વરસાદ આવ્યો ત્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા અને દીપક હુડ્ડાએ સ્કોર 75 સુધી પહોંચાડ્યો હતો. થોડીવાર રાહ જોયા બાદ મેચ ટાઈ જાહેર કરવામાં આવી હતી. અહીં ડકવર્થ-લુઈસનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો અને ભારતનો સ્કોર લક્ષ્યાંકની બરાબર હતો. આવી સ્થિતિમાં મેચ ટાઈ રહી હતી અને ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-0થી જીતી લીધી હતી.

મેચ કેમ ટાઈ થઈ?

આ મેચમાં જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ જ્યારે બીજી ઇનિંગ ચાલી રહી હોય ત્યારે બાકીની ઓવરો, વિકેટના આધારે તે સમયે નક્કી કરાયેલા ટાર્ગેટને નવી રીતે નક્કી કરવામાં આવે છે. જ્યારે ડકવર્થ-લુઈસ લાગુ કરવામાં આવે છે ત્યારે બે પ્રકારના સ્કોર નક્કી કરવામાં આવે છે પહેલો બરોબરીનો સ્કોર અને બીજો ટાર્ગેટ સ્કોર છે.

બીજા દાવની શરૂઆત પહેલા ટાઈ સ્કોર નક્કી કરવામાં આવે છે જ્યારે વરસાદને કારણે મેચ બંધ થઈ જાય તો ટાર્ગેટ સ્કોર નક્કી કરવામાં આવે છે. સમાન સ્કોરમાં નિયમિત ઓવરો અને વિકેટો પછી નિશ્ચિત સ્કોર સુધી પહોંચવું જરૂરી છે, જે ટીમ ઇન્ડિયા સાથે આ મેચમાં થયું. જો મેચ ટાઈ થાય તો T20 ઈન્ટરનેશનલમાં સુપર ઓવરની પણ જોગવાઈ છે, પરંતુ ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં સુપર ઓવર શક્ય ન હતી કારણ કે અહીં વરસાદ પડી રહ્યો હતો અને મેદાન પણ ભીનું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget