શોધખોળ કરો

IND vs SA: બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11

IND vs SA 2nd T20I: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 આજે એટલે કે 10 નવેમ્બર, રવિવારે રમાશે. શું આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સંપૂર્ણ ફેરફાર થશે? ચાલો જાણીએ.

IND vs SA 2nd T20I Indian Team Playing XI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયા જીતી ચૂકી છે. હવે બીજી T20 આજે એટલે કે 10 નવેમ્બર (રવિવાર)ના રોજ ગકબેરાહના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે. મેચમાં ટીમ ઈન્ડિયા જીતનું મોમેન્ટમ જાળવી રાખવા માંગશે. તો શું પ્રથમ T20માં શતક ફટકારનાર સંજુ સેમસન બીજી મેચમાંથી બહાર થશે? ચાલો જાણીએ બીજી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન.

આફ્રિકા સામે બીજી T20માં ભારતની પ્લેઇંગ ઇલેવન

ઓપનિંગમાં સંજુ સેમસન અને અભિષેક શર્મા એકવાર ફરી દેખાઈ શકે છે. સંજુએ પ્રથમ T20માં શાનદાર શતકીય ઇનિંગ્સ રમી હતી. જ્યારે અભિષેક શર્મા પ્રથમ મેચમાં ઓછા સ્કોરમાં આઉટ થયા હતા. જોકે તેમને બીજી T20માં એકવાર ફરી તક મળી શકે છે.

મિડલ ઓર્ડરની શરૂઆત એકવાર ફરી કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે થઈ શકે છે અને નંબર ચાર પર તિલક વર્મા દેખાઈ શકે છે. પાંચમા ક્રમે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રમી શકે છે. ત્યારબાદ છઠ્ઠા ક્રમે ફિનિશર રિંકુ સિંહ દેખાઈ શકે છે. પછી સાતમા ક્રમે રમતા ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ રમનદીપ સિંહને તક મળી શકે છે.

બોલિંગ એટેકમાં થઈ શકે છે ફેરફાર

બોલિંગ એટેકમાં સ્પિનર રવિ બિશ્નોઈ આઠમા ક્રમે અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી નવમા ક્રમે દેખાઈ શકે છે. જોકે ટીમ ઈન્ડિયા બીજી T20માં ત્રણ ફાસ્ટ બોલર સાથે પણ જઈ શકે છે. આવા કિસ્સામાં બિશ્નોઈની જગ્યાએ યશ દયાલ પ્લેઇંગ ઇલેવનનો ભાગ બની શકે છે, જેનાથી તેમને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ ઉપરાંત અર્શદીપ સિંહ અને આવેશ ખાન ફાસ્ટ બોલર તરીકે દેખાઈ શકે છે.

પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરો ખાસ કરીને વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રવિ અને વરુણે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં સુકાની સૂર્યકુમાર બોલિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતો નથી. જો બોલિંગ યુનિટમાં કોઈ ફેરફાર થશે તો લેફ્ટ આર્મ ફાસ્ટ યશ દયાલને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આવી સ્થિતિમાં અવેશ ખાને આ મેચમાંથી બહાર રહેવું પડશે. અવેશે પ્રથમ T20માં 2 વિકેટ ઝડપી હતી, પરંતુ તે થોડો મોંઘો સાબિત થયો હતો.

બીજી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ/રમનદીપ સિંહ, રવિ બિશ્નોઈ/યશ દયાલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, આવેશ ખાન.

આ પણ વાંચોઃ

આ ભૂલને કારણે શરીરમાં ઘટી જાય છે વિટામિન B12

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Embed widget