શોધખોળ કરો

INDW vs SAW: શ્વાસ થંભાવી દેતી મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, પૂજાએ છેલ્લી ઓવરમાં 11 રન ડિફેન્ડ કર્યા

INDW vs SAW: ભારતે દક્ષિણ આફ્રિકાને 4 રનથી હરાવ્યું છે. સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરની સદી અને છેલ્લી ઓવરોમાં સારી બોલિંગના કારણે ભારતે જીત નોંધાવી છે.

INDW vs SAW: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને 4 રને હરાવ્યું છે. આ સાથે ભારતે 3 મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 325 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ શ્રેણીમાં સતત બીજી મેચમાં સદી ફટકારી હતી, જેણે 120 બોલમાં 136 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ હરમનપ્રીત કૌરે પણ 88 બોલમાં 103 રન ફટકારીને પોતાની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. જ્યારે સાઉથ આફ્રિકા ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. પરંતુ કેપ્ટન લૌરા વૂલવર્થ અને મેરિજેન કેપની 184 રનની ભાગીદારીએ ભારતીય છાવણીના હૃદયના ધબકારા વધારી દીધા હતા. પરંતુ છેલ્લી 5 ઓવરમાં ભારતની સારી બોલિંગ ટીમને જીત તરફ લઈ ગઈ હતી.

 

દક્ષિણ આફ્રિકાની ટીમને 326 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો, જેનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 14ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. અરુંધતિ રોયે પહેલો ઝટકો આપ્યો અને તેના થોડા સમય બાદ દીપ્તિ શર્માએ આફ્રિકાની ટીમને બીજો ઝટકો આપ્યો. દક્ષિણ આફ્રિકાએ 54 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન, મેચની સદી કરનાર સ્મૃતિ મંધાનાએ પણ બોલિંગ કરી, જેણે તેના બીજા બોલ પર તેની કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી. ટીમે 67 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અહીંથી કેપ્ટન લૌરા વૂલવર્થ અને મેરિઝાન કેપ વચ્ચે 181 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. 43મી ઓવરમાં, કેપ 94 બોલમાં 114 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, તેણે તેની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકાને છેલ્લી 5 ઓવરમાં જીતવા માટે 54 રનની જરૂર હતી. આગલી 3 ઓવરમાં 31 રન બનાવ્યા હતા, જેના કારણે ભારત હારની નજીક જતું દેખાતું હતું. સ્થિતિ એવી હતી કે આફ્રિકાને જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 23 રન અને છેલ્લી ઓવરમાં 11 રન કરવાના હતા. પરંતુ છેલ્લી ઓવરમાં 2 વિકેટ પડતાં સમગ્ર મેચમાં પલટો આવ્યો અને ભારતે 4 રનથી રોમાંચક વિજય નોંધાવ્યો.

 

મેચ છેલ્લી ઓવરમાં બાજી પલટાઈ

પૂજા વસ્ત્રાકરને છેલ્લી ઓવરમાં 11 રન બચાવવાના હતા. પહેલા 2 બોલમાં 5 રન આવ્યા હતા. પરંતુ પૂજાએ આગામી 2 બોલમાં 2 વિકેટ લઈને સમગ્ર મેચનો મિજાજ બદલી નાખ્યો. કેપ્ટન લૌરા વૂલવર્થ માટે પ્રથમ બોલ પર સિંગલ લેવો ખૂબ મોંઘો હતો કારણ કે તેણે છેલ્લા બોલ પર ફરીથી સ્ટ્રાઇક મેળવી હતી, જ્યારે ટીમને એક બોલમાં 5 રન બનાવવાના હતા. છેલ્લો બોલ ખાલી રહ્યો, જેના કારણે ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ રહી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget