શોધખોળ કરો

Jaydev Unadkat Released:  દિલ્હી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નહી હોય જયદેવ ઉનડકટ, જાણો BCCI એ કેમ રિલીઝ કર્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ દિલ્હીમાં રમાશે. 17 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ જયદેવ ઉનડકટને બહાર કરી દીધો છે.

Jaydev Unadkat IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ દિલ્હીમાં રમાશે. 17 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ જયદેવ ઉનડકટને બહાર કરી દીધો છે. જયદેવ નાગપુરમાં રમાયેલી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો અને હવે તેને આ મેચમાં પણ રમવાની તક મળશે નહીં. જયદેવ સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમશે. સેમીફાઈનલમાં સૌરાષ્ટ્રે કર્ણાટકને 4 વિકેટે હરાવ્યું હતું.

ઘરેલુ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ જયદેવ ઉનડકટને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે સૌરાષ્ટ્ર માટે ઘણી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કારણોસર  તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ભાગ બન્યો હતો. પરંતુ ઉનડકટને નાગપુરમાં રમાયેલી ટેસ્ટમાં રમવાની તક મળી ન હતી અને હવે તે બીજી ટેસ્ટ પણ રમી શકશે નહીં. ટીમ મેનેજમેન્ટે તેને રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમવા માટે રિલીઝ કરી દીધો છે. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે આ મેચ રમાશે. 16 ફેબ્રુઆરીએ રમાનારી આ મેચ માટે તે સૌરાષ્ટ્રનો ભાગ હશે.

રણજી ટ્રોફીની બીજી સેમીફાઈનલમાં સૌરાષ્ટ્રે કર્ણાટકને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં મયંક અગ્રવાલની કપ્તાનીમાં કર્ણાટકની ટીમે પ્રથમ દાવમાં 407 રન અને બીજા દાવમાં 234 રન બનાવ્યા હતા. જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં 527 રન અને બીજા દાવમાં 117 રન બનાવી 4 વિકેટે મેચ જીતી લીધી હતી. હવે ફાઈનલ પહેલા તેના માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. ફાઈનલમાં જયદેવ ઉનડકટનું રમવું તેના માટે ઘણું સારું સાબિત થઈ શકે છે.



IND vs AUS: માત્ર 2 કલાકમાં ઓલઆઉટ થઇ ગઇ દુનિયાની નંબર-1 ટીમ, જાણો કેમ થયું આવુ.....

નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની એકદમ ખરાબ સ્થિતિ જોવા મળી, અહીં ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયા એવી સ્થિતિમાં મુકાઇ ગઇ કે દુનિયાના ક્રિકેટ ફેન્સ અને એક્સર્ટ્સ તેમની પર હંસવા લાગ્યા હતા. 

ખરેખરમાં, ભારતીય ટીમની સામે રમાયેલી પ્રથમ નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર બે કલાકની અંદર ઓલઆઉટ થઇ ગઇ હતી, અને બાદમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કાંગારુ બેટ્સમેનો બે કલાક પણ પીચ પર ના ટકી શક્યા, અને બીજી ઇનિંગમાં માત્ર 91 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ. જાણો નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમના હારનો પાંચ મોટા કારણે.... 

1. ટર્નિંગ પૉઇન્ટ વિકેટ - 
નાગપુરની પીચ સ્પીનર્સને મદદરૂપ સાબિત થઇ. અહીં પહેલા જ દિવસે બૉલ ટર્ન થઇ રહ્યો હતો. જેના કારણે જાડેજાએ કેર વર્તાવ્યો, અને બીજી ઇનિંગમાં અશ્વિને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનેને પેવેલિયન મોકલ્યા. ખાસ વાત છે કે, ભારતીય ઉપમહાદ્વીપ ઉપરાંત ક્યાંય પણ આવી ટ્રેક વાળી પીચો નથી મળતી, અને ઓસ્ટ્રેલિયા આવી પીચો પર રમવા માટે ટેવાયેલી નથી.  

2. ડાબોડી બેટ્સમેનો થયા વધારે મુશ્કેલ - 
નાગપુર પીચમાં ડાબોડી બેટ્સમેનોના ઓફ સ્ટમ્પની સામેવાળો ભાગ સુકો રાખવામાં આવ્યો હતો. આનાથી ડાબોડી બેટ્સમેનોને થોડી મુશ્કેલી પડી. અહીં જમણેરી બેટ્સમેનો જ પીચ પર સૌથી વધુ ટકી શક્યા, બાકીના બેટ્સમેને જલદી જલદી આઉટ થઇ ગયા. ઓસ્ટ્રેલિયાના ટૉપ પાંચમાંથી ત્રણ બેટ્સમેન ડાબોડી છે. 

 

3. પેટ કમિન્સ - 
નાગપુરની પીચ પર પેટ કમિન્સે ત્રણ વિશેષણ સ્પિનર રમાડવાની જરૂર હતી. અહીં અહીં ઓસ્ટ્રેલિયાએ માત્ર બે જ સ્પીનર્સ ઉતાર્યા હતા. અહીં એશ્ટનની કમી વર્તાઇ. આ ટેસ્ટમાં પડેલી 30 વિકેટોમાંથી 24 વિકેટો સ્પીનર્સ જ લીધી, જ્યારે ભારતે અહીં ત્રણ સ્પીનર્સ ઉતાર્યા હતા. 

4. નાથન લિયૉન ના ચાલ્યો - 
ઓસ્ટ્રેલિયાએ નાગપુર ટેસ્ટમાં બે સ્પીનર્સ ઉતાર્યા હતા, નાથન લિયૉન અને ટૉડ મર્ફી, જોકે, ટૉડ મર્ફીએ પહેલી ઇનિંગમાં 7 વિકેટો ઝડપી, પરંતુ તેના સિવાય નાથન લિયૉન ના ચાલ્યો. તે સ્પીન ટ્રેક પર પુરેપુરી રીતે ફ્લૉપ દેખાયો, માત્ર એક જ વિકેટ હાંસલ કરી શક્યો.

5. દબાણ ના ઝીલી શક્યા ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો - 
ભારતીય ટીમ તરફથી જ્યારે પહેલી ઇનિંગ પર 223 રનોનો વિશાળ લીડ મળી, તો ઓસ્ટ્રેલિયન બેટ્સમેને દબાણમાં આવી ગયા, તે દબાણ ના ઝીલી શક્યા. આ કારણે આખી ટીમે માત્ર બે કલાકની અંદર જ ઓલઆઉટ થઇ ગઇ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget