![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Baba Bageshwar Dham: ટીમ ઈન્ડિયાનો આ સ્પિનર બાગેશ્વર ધામ પહોંચ્યો, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો ચાઈનામેન બોલર બાબા બાગેશ્વર ધામ પહોંચ્યો હતો.
![Baba Bageshwar Dham: ટીમ ઈન્ડિયાનો આ સ્પિનર બાગેશ્વર ધામ પહોંચ્યો, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ kuldeep yadav at baba bageshwar dham dhirendra shastri ind vs wi latest sports news Baba Bageshwar Dham: ટીમ ઈન્ડિયાનો આ સ્પિનર બાગેશ્વર ધામ પહોંચ્યો, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/07/335bbda3adcb489fb4e223c51378e9c3168875454166478_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kuldeep Yadav With Baba Bageshwar Dham Dhirendra Shastri: ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો ચાઈનામેન બોલર બાબા બાગેશ્વર ધામ પહોંચ્યો હતો. આ પછી તેણે ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. જોકે, બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે કુલદીપ યાદવની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
भारतीय क्रिकेट के स्पिन जादूगर और पूज्य सरकार के प्रिय लाड़ले कुलदीप यादव धाम पधारे पूज्य सरकार का जन्मोत्सव मनाया साथ ही पूज्य सरकार का आशीर्वाद लिया… pic.twitter.com/ErAKnBV8fa
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) July 6, 2023
ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે કુલદીપ યાદવની વાયરલ તસવીરો
બાબા બાગેશ્વર ધામ સરકાર નામના ટ્વિટર હેન્ડલ દ્વારા બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે કુલદીપ યાદવની તસવીરો શેર કરવામાં આવી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે ભારતીય ક્રિકેટના સ્પિન જાદુગર અને પૂજ્ય સરકારના પ્રિય એવા કુલદીપ યાદવ ધામ પધાર્યા અને પૂજ્ય સરકારનો જન્મોત્સવ ઉજવ્યો સાથે જ પૂજ્ય સરકારના આશીર્વાદ પણ લીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ જતા પહેલા કુલદીપ યાદવે બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. હવે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે કુલદીપ યાદવની તસવીરો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહી છે.
દિલ્હીના પટપડગંજ વિસ્તારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુરુવાર અને શુક્રવારે દિલ્હીના પટપડગંજ વિસ્તારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કુલદીપ યાદવ પણ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં ટીમ ઈન્ડિયાનો ચાઈનામેન બોલર કુલદીપ યાદવ હાથ જોડીને બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના ચરણોમાં બેસેલો જોવા મળે છે. જો આપણે કુલદીપ યાદવના કરિયર પર નજર કરીએ તો અત્યાર સુધી તેણે ટીમ ઈન્ડિયા માટે 8 ટેસ્ટ મેચ સિવાય 81 વનડે અને 28 ટી20 મેચ રમી છે. આ સિવાય કુલદીપ યાદવે IPLની 73 મેચ રમી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)