શોધખોળ કરો

PCB: પાકિસ્તાન ક્રિકેટ ટીમનો મુખ્ય પસંદગીકાર બન્યો આ બોલર, ઝડપી ચૂક્યો છે 1100થી વધુ વિકેટ

new chief selector of Pakistan cricket team:  વન-ડે વર્લ્ડ કપ 2023માં તેના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે

new chief selector of Pakistan cricket team: વન-ડે વર્લ્ડ કપ 2023માં તેના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. બાબર આઝમની કેપ્ટન પદેથી રાજીનામા બાદ ટીમમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. એક તરફ ટીમના પૂર્વ ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે અગાઉ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું તો બીજી તરફ બાબર આઝમે પણ કેપ્ટન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી શાહીન આફ્રિદીને પાકિસ્તાન ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો જ્યારે ટેસ્ટની કેપ્ટનશીપ શાન મસૂદને સોંપવામાં આવી હતી. હવે ભૂતપૂર્વ બોલર વહાબ રિયાઝને ટીમનો નવા મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યો છે

રિયાઝે 1100થી વધુ વિકેટ લીધી હતી

વહાબ રિયાઝે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 1114 વિકેટ લીધી હતી. તેણે 136 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 441 વિકેટ, 191 લિસ્ટ-એ મેચમાં 260 વિકેટ અને 348 ટી-20 મેચોમાં 413 વિકેટ લીધી હતી. વહાબ રિયાઝે 27 ટેસ્ટ મેચમાં 83, 93 વનડેમાં 120 અને 36 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 34 વિકેટ ઝડપી છે. તેણે વર્ષ 2008માં પાકિસ્તાન માટે તેની પ્રથમ મેચ રમી હતી જ્યારે તેણે આ ટીમ માટે તેની છેલ્લી મેચ 2020માં રમી હતી અને 12 વર્ષ સુધી આ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. માત્ર 38 વર્ષની ઉંમરે તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.

વન-ડે વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો બાબર આઝમની કેપ્ટનશીપમાં ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પહેલીવાર ભારત આવી હતી અને પાંચમા સ્થાને રહીને પોતાના અભિયાનનો અંત કર્યો હતો. આ ટીમ છેલ્લે 2011માં વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પહોંચી હતી અને ત્યારથી આ ટીમ નોકઆઉટમાં પણ જગ્યા બનાવી શકી નથી. આ વખતે આશા હતી કે ટીમ સારો દેખાવ કરશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં અને આ પછી ટીમને લગતા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા અને હવે કેપ્ટન અને મુખ્ય પસંદગીકારને પણ બદલવામાં આવ્યા હતા.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget