શોધખોળ કરો

T20 WC, Ind vs Pak: રિઝવાન-બાબરની જોડીએ તોડ્યો આ મોટો રેકોર્ડ, રોહિત શર્મા થયો આ લિસ્ટમાં સામેલ

India vs Pakistan: જીત સાથે રિઝવાન અને બાબરની જોડીએ નવ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 152 રનની ભાગીદારી પાકિસ્તાનની કોઈ પણ વિકેટ માટે ભારત સામે ટી-20માં સૌથી મોટી ભાગીદારી છે.

T20 World Cup, India vs Pakistan: ટી20 વર્લ્ડકપમાં રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 152 રનના પડકારને પાકિસ્તાને  17.5 ઓવરમાં વિના વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. બાબર આઝમ 68 રન અને મોહમ્મદ રિઝવાન79 રને અણનમ રહ્યા હતા. ભારતના બોલરો એકપણ વિકેટ લઈ શક્યા નહોતા..આ સાથે પાકિસ્તાનના ઓપનરોએ 9 વર્ષ બાદ મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

9 વર્ષ જૂનો તૂટ્યો રેકોર્ડ

જીત સાથે રિઝવાન અને બાબરની જોડીએ નવ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 152 રનની ભાગીદારી પાકિસ્તાનની કોઈ પણ વિકેટ માટે ભારત સામે ટી-20માં સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ મોહમ્મદ હફીઝ અને શોએબ મલિકના નામે હતો. બંનેએ 2012માં અમદાવાદમાં ચોથી વિકેટ માટે 106 રનની પાર્ટનરશિપ કરી હતી.

ત્રણ દાયકમાં પ્રથમ વખત જીત્યું પાકિસ્તાન

ત્રણ દાયકાના વર્લ્ડકપના ઈતિહાસમાં પાકિસ્તાને ભારતે પ્રથમ વખત ભૂંડી રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપના ઈતિહાસનો પ્રથમ મુકાબલો 1992માં રમાયો હતો. ત્યારથી તે ભારત સામે જીતી શક્યું નહોતું પરંતુ 24 ઓક્ટોબર, 2021ના રોજ આ સિલસિલો તૂટી ગયો હતો.

ટી-20 વર્લ્ડકપમાં 10 વિકેટથી જીતનારી ચોથી ટીમ

પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડકપમાં લક્ષ્યનો પીછો કરતી વખતે 10 વિકેટથી જીતનારી માત્ર ચોથી ટીમ બની છે. આ પહેલા આ કારનામું ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઓમાનની ટીમ કરી ચુકી છે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે 2007માં 102 રનના ટાર્ગેટને, દક્ષિણ આફ્રિકાએ 2012માં ઝિમ્બાબ્વે સામે 94 રનનો ટાર્ગેટ, ઓમાને 2021માં પાપુઆ ન્યુ ગિની સામે 130 રનનો ટાર્ગેટ તથા પાતિસ્તાને દુબઈમાં 2021માં ભારત સામે 152 રનનો ટાર્ગેટ વિના વિકેટે હાંસલ કર્યો હતો.

રોહિત શર્માનું શરમજનક પ્રદર્શન

પાકિસ્તાન સામેની મેચમાં રોહિત શર્મા ટી20 આંતરરાષ્ટ્રીયમાં સાતમી વખત શૂન્ય પર આઉટ થયો હતો. તે ટી20 વર્લ્ડકપમાં શૂન્ય પર આઉટ થનારો પાંચમો ભારતીય ખેલાડી બન્યો હતો. આ પહેલા દિનેશ કાર્તિક (2007), મુરલી વિજય (2010), આશીષ નેહરા (2010) અને સુરેશ રૈના (2016)માં શૂન્ય રને આઉટ થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget