શોધખોળ કરો

T20 વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાના આ બે સ્ટાર ખેલાડી ભારત પરત ફરશે, મોટું કારણ આવ્યું સામે

T20 World Cup 2024: વર્લ્ડ કપ 2024 વચ્ચે ઈન્ડિયાનાં કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાના બે ખેલાડી ભારત પરત ફરી શકે છે. તેની પાછળનું મુખ્ય કારણ પણ સામે આવ્યું છે.

Team India T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024માં (T20 World Cup 2024) ટીમ ઈન્ડિયાની સફર અત્યાર સુધી ઘણી શાનદાર રહી છે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં સતત 3 મેચ જીતીને સુપર 8માં પોતાની જગ્યા બનાવી લીધી છે. તેઓ હવે તેમની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ કેનેડા સામે 15 જૂને ફોર્ટ લોડરડેલ, ફ્લોરિડામાં રમશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાના બે ખેલાડી ભારત પરત ફરી શકે છે.

ભારતીય પસંદગીકારોએ T20 વર્લ્ડ કપ 2024 (T20 World Cup 2024)  માટે 15 સભ્યોની ટીમ સાથે 4 રિઝર્વ ખેલાડીઓ પણ મોકલ્યા છે. આ ચાર ખેલાડીઓ છે શુભમન ગિલ (Shubhman Gill), રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન (Aavesh Khan). ક્રિકબઝના અહેવાલ મુજબ, શુભમન ગિલ અને અવેશ ખાન અમેરિકન લેગની સમાપ્તિ પછી ભારત પરત ફરશે. આ બંને ખેલાડીઓ હાલમાં ટીમ સાથે છે અને ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ માટે ન્યૂયોર્કથી ફ્લોરિડાના ફોર્ટ લોડરડેલ પહોંચ્યા છે.

રિપોર્ટ અનુસાર ગિલ અને અવેશના વિઝા માત્ર યુએસએ ટૂર માટે છે. આવી સ્થિતિમાં જો 15 જૂને રમાનાર મેચ સુધી મુખ્ય ટીમનો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત ન થાય તો આ બંને ખેલાડીઓ સ્વદેશ પરત ફરશે. તમને જણાવી દઈએ કે, ટીમમાં ત્રીજો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પણ છે અને કદાચ વધારાના ફાસ્ટ બોલરની જરૂર નહીં પડે કારણ કે કેરેબિયન સ્ટેજમાં ટીમને સ્પિનરો પર વધુ નિર્ભર રહેવાની અપેક્ષા છે. જોકે, રિંકુ અને ખલીલ ટીમ સાથે રહેશે. ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ બાદ બ્રિજટાઉન અને બાર્બાડોસનો પ્રવાસ કરવાનો છે.

ટીમ ઈન્ડિયા તેની સુપર 8ની પ્રથમ મેચ 20 જૂને રમશે. આ પછી, બીજી સુપર 8 મેચ 22મી જૂને એન્ટિગુઆમાં અને ત્રીજી સુપર 8 મેચ 24મી જૂને સેન્ટ લુસિયામાં છે. જો તેઓ સેમિફાઇનલમાં પહોંચે છે, તો તે 27 જૂને જ્યોર્જટાઉન, ગયાનામાં થશે અને ફાઇનલ 29 જૂને બ્રિજટાઉનમાં થશે. ટીમ ઈન્ડિયા 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બાકીની 2 મેચ કોણ રમશે તે હજુ નક્કી થયું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
Embed widget