શોધખોળ કરો

એક ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારા 2 ભારતીય કેપ્ટન વિશે જાણો 

ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં કેપ્ટનની બહુ મોટી ભૂમિકા હોય છે. ટેસ્ટ સિરીઝ હોય કે વનડે હોય કે ટી-20 ટીમ કેપ્ટન પર ઘણો આધાર રાખે છે.

ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં કેપ્ટનની બહુ મોટી ભૂમિકા હોય છે. ટેસ્ટ સિરીઝ હોય કે વનડે હોય કે ટી-20 ટીમ કેપ્ટન પર ઘણો આધાર રાખે છે. એક જ કેપ્ટન હોય છે જે ટીમને સામેથી લીડ કરે છે અને સાથે જ તેણે ટીમને રસ્તો દેખાડવાનો હોય છે. ટેસ્ટ મેચોમાં પણ કેપ્ટનનું મહત્વ ઘણું વધારે હોય છે અને જો ટેસ્ટ સિરીઝ જીતવી હોય તો કેપ્ટન માટે સારું પ્રદર્શન કરવું જરૂરી છે.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ઘણા મહાન કેપ્ટન રહ્યા છે અને ભારતીય ટીમ પાસે આ ફોર્મેટમાં ઘણા મહાન કેપ્ટન પણ છે. ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટને માત્ર શાનદાર વ્યૂહરચના બનાવવાની નથી, પરંતુ જો તે બેટ્સમેન હોય તો તેણે રન પણ બનાવવાના હોય છે. અત્યાર સુધી ઘણા ભારતીય કેપ્ટન ટેસ્ટ ક્રિકેટમાં ઘણા રન બનાવી ચુક્યા છે. આમાં સૌરવ ગાંગુલી, મોહમ્મદ અઝહરુદ્દીન અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓના નામ મુખ્ય છે.

આજે અમે તમને 2 ભારતીય બેટ્સમેન વિશે જણાવીશું જેમણે કેપ્ટન તરીકે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા. આ યાદીમાં એક કેપ્ટનનું નામ ત્રણ વખત આવે છે. તેણે ટેસ્ટ શ્રેણીમાં 3 વખત સૌથી વધુ રન બનાવ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે તે બે દિગ્ગજ કેપ્ટન વિશે.  આ યાદીમાં બીજા સ્થાન પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છે. બેટ્સમેન વિરાટ કોહલી કયા સ્તરનો છે તે બધા જાણે છે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ત્રણ વખત ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

તેણે 2016-17 ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની 8 ઈનિંગમાં 655 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 109.06 હતી અને 235 રન સર્વોચ્ચ સ્કોર હતો. તેણે તે શ્રેણીમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી હતી.

આ પછી વિરાટ કોહલીએ 2017-18માં શ્રીલંકા સામેની 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 152.50ની શાનદાર એવરેજથી 610 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં 243 રન તેનો સર્વોચ્ચ સ્કોર હતો અને તેણે 3 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. આ સિવાય 2018માં ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં કોહલીએ 59.30ની એવરેજથી 593 રન બનાવ્યા હતા.

સુનીલ ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે એકંદરે ત્રીજા સ્થાને છે. આ સાથે જ તે ભારતીય કેપ્ટન દ્વારા ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલે નંબર વન પર છે.

સુનીલ ગાવસ્કરે 1978/79માં વેસ્ટ ઈન્ડિઝ સામેની 6 મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન 732 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે માત્ર 9 ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી અને તેની એવરેજ 91.50 હતી. તે શ્રેણીમાં ગાવસ્કરે 4 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. આ સિવાય 1981/82માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ગાવસ્કરે 6 મેચની 9 ઈનિંગમાં 500 રન બનાવ્યા હતા.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget