શોધખોળ કરો

એક ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારા 2 ભારતીય કેપ્ટન વિશે જાણો 

ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં કેપ્ટનની બહુ મોટી ભૂમિકા હોય છે. ટેસ્ટ સિરીઝ હોય કે વનડે હોય કે ટી-20 ટીમ કેપ્ટન પર ઘણો આધાર રાખે છે.

ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં કેપ્ટનની બહુ મોટી ભૂમિકા હોય છે. ટેસ્ટ સિરીઝ હોય કે વનડે હોય કે ટી-20 ટીમ કેપ્ટન પર ઘણો આધાર રાખે છે. એક જ કેપ્ટન હોય છે જે ટીમને સામેથી લીડ કરે છે અને સાથે જ તેણે ટીમને રસ્તો દેખાડવાનો હોય છે. ટેસ્ટ મેચોમાં પણ કેપ્ટનનું મહત્વ ઘણું વધારે હોય છે અને જો ટેસ્ટ સિરીઝ જીતવી હોય તો કેપ્ટન માટે સારું પ્રદર્શન કરવું જરૂરી છે.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ઘણા મહાન કેપ્ટન રહ્યા છે અને ભારતીય ટીમ પાસે આ ફોર્મેટમાં ઘણા મહાન કેપ્ટન પણ છે. ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટને માત્ર શાનદાર વ્યૂહરચના બનાવવાની નથી, પરંતુ જો તે બેટ્સમેન હોય તો તેણે રન પણ બનાવવાના હોય છે. અત્યાર સુધી ઘણા ભારતીય કેપ્ટન ટેસ્ટ ક્રિકેટમાં ઘણા રન બનાવી ચુક્યા છે. આમાં સૌરવ ગાંગુલી, મોહમ્મદ અઝહરુદ્દીન અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓના નામ મુખ્ય છે.

આજે અમે તમને 2 ભારતીય બેટ્સમેન વિશે જણાવીશું જેમણે કેપ્ટન તરીકે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા. આ યાદીમાં એક કેપ્ટનનું નામ ત્રણ વખત આવે છે. તેણે ટેસ્ટ શ્રેણીમાં 3 વખત સૌથી વધુ રન બનાવ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે તે બે દિગ્ગજ કેપ્ટન વિશે.  આ યાદીમાં બીજા સ્થાન પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છે. બેટ્સમેન વિરાટ કોહલી કયા સ્તરનો છે તે બધા જાણે છે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ત્રણ વખત ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

તેણે 2016-17 ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની 8 ઈનિંગમાં 655 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 109.06 હતી અને 235 રન સર્વોચ્ચ સ્કોર હતો. તેણે તે શ્રેણીમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી હતી.

આ પછી વિરાટ કોહલીએ 2017-18માં શ્રીલંકા સામેની 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 152.50ની શાનદાર એવરેજથી 610 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં 243 રન તેનો સર્વોચ્ચ સ્કોર હતો અને તેણે 3 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. આ સિવાય 2018માં ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં કોહલીએ 59.30ની એવરેજથી 593 રન બનાવ્યા હતા.

સુનીલ ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે એકંદરે ત્રીજા સ્થાને છે. આ સાથે જ તે ભારતીય કેપ્ટન દ્વારા ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલે નંબર વન પર છે.

સુનીલ ગાવસ્કરે 1978/79માં વેસ્ટ ઈન્ડિઝ સામેની 6 મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન 732 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે માત્ર 9 ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી અને તેની એવરેજ 91.50 હતી. તે શ્રેણીમાં ગાવસ્કરે 4 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. આ સિવાય 1981/82માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ગાવસ્કરે 6 મેચની 9 ઈનિંગમાં 500 રન બનાવ્યા હતા.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget