શોધખોળ કરો

એક ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારા 2 ભારતીય કેપ્ટન વિશે જાણો 

ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં કેપ્ટનની બહુ મોટી ભૂમિકા હોય છે. ટેસ્ટ સિરીઝ હોય કે વનડે હોય કે ટી-20 ટીમ કેપ્ટન પર ઘણો આધાર રાખે છે.

ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં કેપ્ટનની બહુ મોટી ભૂમિકા હોય છે. ટેસ્ટ સિરીઝ હોય કે વનડે હોય કે ટી-20 ટીમ કેપ્ટન પર ઘણો આધાર રાખે છે. એક જ કેપ્ટન હોય છે જે ટીમને સામેથી લીડ કરે છે અને સાથે જ તેણે ટીમને રસ્તો દેખાડવાનો હોય છે. ટેસ્ટ મેચોમાં પણ કેપ્ટનનું મહત્વ ઘણું વધારે હોય છે અને જો ટેસ્ટ સિરીઝ જીતવી હોય તો કેપ્ટન માટે સારું પ્રદર્શન કરવું જરૂરી છે.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ઘણા મહાન કેપ્ટન રહ્યા છે અને ભારતીય ટીમ પાસે આ ફોર્મેટમાં ઘણા મહાન કેપ્ટન પણ છે. ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટને માત્ર શાનદાર વ્યૂહરચના બનાવવાની નથી, પરંતુ જો તે બેટ્સમેન હોય તો તેણે રન પણ બનાવવાના હોય છે. અત્યાર સુધી ઘણા ભારતીય કેપ્ટન ટેસ્ટ ક્રિકેટમાં ઘણા રન બનાવી ચુક્યા છે. આમાં સૌરવ ગાંગુલી, મોહમ્મદ અઝહરુદ્દીન અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓના નામ મુખ્ય છે.

આજે અમે તમને 2 ભારતીય બેટ્સમેન વિશે જણાવીશું જેમણે કેપ્ટન તરીકે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા. આ યાદીમાં એક કેપ્ટનનું નામ ત્રણ વખત આવે છે. તેણે ટેસ્ટ શ્રેણીમાં 3 વખત સૌથી વધુ રન બનાવ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે તે બે દિગ્ગજ કેપ્ટન વિશે.  આ યાદીમાં બીજા સ્થાન પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છે. બેટ્સમેન વિરાટ કોહલી કયા સ્તરનો છે તે બધા જાણે છે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ત્રણ વખત ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

તેણે 2016-17 ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની 8 ઈનિંગમાં 655 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 109.06 હતી અને 235 રન સર્વોચ્ચ સ્કોર હતો. તેણે તે શ્રેણીમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી હતી.

આ પછી વિરાટ કોહલીએ 2017-18માં શ્રીલંકા સામેની 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 152.50ની શાનદાર એવરેજથી 610 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં 243 રન તેનો સર્વોચ્ચ સ્કોર હતો અને તેણે 3 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. આ સિવાય 2018માં ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં કોહલીએ 59.30ની એવરેજથી 593 રન બનાવ્યા હતા.

સુનીલ ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે એકંદરે ત્રીજા સ્થાને છે. આ સાથે જ તે ભારતીય કેપ્ટન દ્વારા ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલે નંબર વન પર છે.

સુનીલ ગાવસ્કરે 1978/79માં વેસ્ટ ઈન્ડિઝ સામેની 6 મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન 732 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે માત્ર 9 ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી અને તેની એવરેજ 91.50 હતી. તે શ્રેણીમાં ગાવસ્કરે 4 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. આ સિવાય 1981/82માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ગાવસ્કરે 6 મેચની 9 ઈનિંગમાં 500 રન બનાવ્યા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget