શોધખોળ કરો

Virat Kohli: ત્રણ વર્ષથી ખૂબ જ ખરાબ ફોર્મમાં છે વિરાટ કોહલી, ફક્ત 26ની સરેરાશથી બનાવી રહ્યો છે રન

તાજેતરમાં રમાયેલી નાગપુર ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ઇનિંગ્સ અને 132 રને હરાવ્યું હતું

Virat Kohli Test Average: ભારતીય ક્રિકેટર  વિરાટ કોહલીનું ફોર્મ ભારતીય ક્રિકેટ ટીમ માટે ઘણું મહત્વનું છે, પછી ભલે તે ODI હોય, T20 હોય કે ટેસ્ટ ફોર્મેટ હોય. છેલ્લા કેટલાક સમયથી વિરાટનું ફોર્મ કોઈપણ ફોર્મેટમાં યોગ્ય રહ્યું નથી. હવે તેનું ફોર્મ ODI અને T20 ફોર્મેટમાં પાછું આવ્યું છે, પરંતુ તે હજુ પણ ટેસ્ટ ક્રિકેટમાં રન બનાવવામાં સંઘર્ષ કરી રહ્યો છે.

તાજેતરમાં રમાયેલી નાગપુર ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ઇનિંગ્સ અને 132 રને હરાવ્યું હતું. તે મેચમાં ભારત માટે ઘણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ વિરાટ કોહલી રન બનાવી શક્યો નહોતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની પ્રથમ મેચમાં વિરાટે 26 બોલમાં માત્ર 12 રન બનાવ્યા હતા.

વિરાટની એવરેજ ટેસ્ટમાં ઘણી ઓછી

ટેસ્ટ ફોર્મેટમાં વિરાટ કોહલી કેટલો ખરાબ સમય પસાર કરી રહ્યો છે તેનો અંદાજ આંકડા પરથી લગાવી શકાય છે.  આ આંકડા એવા પાંચ બેટ્સમેનના છે જેમણે ટોપ-7માં બેટિંગ કરતી વખતે ઓછામાં ઓછી 25 ઇનિંગ્સ રમી હોય.

સૌથી ઓછી ટેસ્ટ એવરેજ ધરાવતા 5 ખેલાડીઓ

આ યાદીમાં સૌથી ઉપર વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડરનું નામ છે. તેણે 2020 થી ટેસ્ટ ફોર્મેટમાં માત્ર 22.83ની એવરેજથી રન બનાવ્યા છે.

અજિંક્ય રહાણે આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે 2020થી 24.08ની એવરેજથી રન બનાવ્યા છે.

આ યાદીમાં ત્રીજા નંબરે વેસ્ટ ઈન્ડિઝનો જોન કેમ્પબેલ છે. તેણે આ અંતરાલમાં 24.58ની એવરેજથી ટેસ્ટ રન બનાવ્યા છે.

આ યાદીમાં ચોથા નંબર પર વિરાટ કોહલીનું નામ આવે છે. વિરાટે 2020થી માત્ર 25.80ની એવરેજથી ટેસ્ટ રન બનાવ્યા છે.

આ યાદીમાં પાંચમા નંબરે ઈંગ્લેન્ડના રોરી બર્ન્સનું નામ છે. તેણે 2020 થી ટેસ્ટ ફોર્મેટમાં 27 ની એવરેજથી રન બનાવ્યા છે.

શું દિલ્હી ટેસ્ટમાં વિરાટ વાપસી કરશે?

વિરાટ કોહલીની એવરેજ ત્રણેય ફોર્મેટમાં 50થી ઉપર રહેતી હતી, પરંતુ હવે પ્રથમ વખત તેની ઓવરઓલ ટેસ્ટ એવરેજ ઘટીને 48.68 થઈ ગઈ છે. તેનું કારણ 2020થી 25.80ની એવરેજથી તેનો સ્કોરિંગ છે. હવે જોવાનું એ રહેશે કે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી દિલ્હી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પોતાની ટેસ્ટ સરેરાશ સુધારી શકશે કે કેમ.

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થયો શ્રેયસ અય્યર, જાણો બુમરાહ ક્યારે કરશે વાપસી

Border Gavaskar Trophy: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ટીમ ચાર ટેસ્ટની આ શ્રેણીમાં 1-0થી આગળ છે. જો કે બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર બીજી ટેસ્ટ મેચમાં પણ વાપસી કરી શકશે નહીં. શ્રેયસ હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી, જેના કારણે તેને આ મેચમાંથી પણ બહાર રહેવું પડશે.

શ્રેયસ અય્યર બીજી ટેસ્ટમાંથી બહાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં રમાશે. જો કે આ ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર વાપસી કરી શકશે નહીં. તે ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. આ કારણે તે બીજી ટેસ્ટ પણ ચૂકી જશે. શ્રેયસના રુલ્ડ આઉટ થતાં, સૂર્યકુમાર યાદવને વધુ એક તક મળશે તેવું માનવામાં આવે છે.

બુમરાહ ક્યારે પરત ફરશે

તો બીજી તરફ, ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની ઈજાને લઈને પણ મોટા અપડેટ્સ સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર, જસપ્રીત બુમરાહ માત્ર ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાંથી બહાર નહીં થાય, પરંતુ તે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાંથી પણ બહાર થઈ શકે છે. આવી સ્થિતિમાં, બુમરાહના ચાહકોએ તેને એક્શનમાં પરત ફરતો જોવા માટે વધુ રાહ જોવી પડશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget