શોધખોળ કરો

IPLની બાકીની મેચો પોતાને ત્યાં રમાડવા ક્યા દેશે મૂક્યો પ્રસ્તાવ? ક્યા મહિનામાં 15 દિવસમાં બાકીની મેચો રમાડવાનું આયોજન?

રિપોર્ટ છે કે, આઇપીએલની 14મી સિઝનની માત્ર 29 મેચ રમાઈ છે, જ્યારે 31 મેચો હજુ બાકી છે, આવામાં ઇંગ્લેન્ડના ચાર કાઉન્ટી ક્બલે ભારતને પોતાના ત્યાં બાકીની મેચો રમાડવા ઓફર કરી છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની (CoronaVirus) બીજી લહેર ઘાતક રૂપ લેતા દેશમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગને (IPL 2021) અધવચ્ચેથી સસ્પેન્ડ કરવી પડી છે. બીસીસીઆઇએ (BCCI) તાત્કાલિક ધોરણે નિર્ણય લેતા આઇપીએલની 14મી સિઝનને ટાળી (IPL Suspended) દેવાની જાહેરાત કરી દીધી હતી. આ બધાની વચ્ચે ફેન્સના મનમાં એક સવાલ ઉભો થયો હતો કે હવે આઇપીએલ રમાશે કે નહીં, જો રમાશે તો ક્યારે ને ક્યાં રમાશે? જોકે હવે આઇપીએલને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડમાં (England 4 Clubs Offered) આઇપીએલની બાકીની મેચો રમાય તેવી શક્યતા છે. 

રિપોર્ટ છે કે, આઇપીએલની 14મી સિઝનની માત્ર 29 મેચ રમાઈ છે, જ્યારે 31 મેચો હજુ બાકી છે, આવામાં ઇંગ્લેન્ડના ચાર કાઉન્ટી ક્બલે ભારતને પોતાના ત્યાં બાકીની મેચો રમાડવા ઓફર કરી છે. ઈંગ્લેન્ડના 4 કાઉન્ટી ક્લબ મિડલસેક્સ, સરે, વારવિકશાયર અને લંકાશાયરે ટૂર્નામેન્ટ કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતમાં IPL 2021 સીઝનની 30મી મેચ કોલકાતા અને બેંગલુરુ વચ્ચે રમાવવાની હતી. કોલકાતા ટીમના 2 ખેલાડી પોઝિટિવ આવ્યા બાદ મેચ અને ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરવામાં આવી છે. હવે ટાઈટ શેડ્યૂલ અને ભારતમાં કોરોની ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે ટૂર્નામેન્ટ ભારતમાં રમાડવાનું શક્ય નથી. એવામાં BCCI સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ટૂર્નામેન્ટ માટે વિંડો શોધી રહ્યાં છે. ટૂર્નામેન્ટની બાકીની મેચ UAEમાં થઈ શકે છે. જો કે તેની આશા ઓછી જ છે. જો IPL આ વર્ષે નહીં રમાય તો BCCIને તેનાથી 2000થી 2500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. બોર્ડ આ ટૂર્નામેન્ટને કરાવવા માટે 20 દિવસની વિંડો તપાસી રહ્યાં છે.

ઈંગ્લેન્ડમાં ટૂર્નામેન્ટ રમાવવાની આશા વધુ પ્રબળ છે, કેમકે ભારતીય ટીમને 5 ટેસ્ટની સીરીઝ માટે ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ ટૂર પર જવાનું છે. એવામાં ટીમ ઈન્ડિયા ત્યાં જ ટેસ્ટ સીરીઝ પછી સપ્ટેમ્બરના છેલ્લા 2 સપ્તાહમાં IPL પણ રમી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget