શોધખોળ કરો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે BCCI પાસે 500 કરોડની માગણી સાથે કરેલા દાવામાં ICCએ આપ્યો મોટો ચુકાદો, જાણો વિગત
1/5

બીસીસીઆઈએ તેના જવાબમાં કહ્યું હતું કે તે આ કથિત એમઓયૂને માનવા માટે બંધાયેલ નથી અને તે કોઈ મહત્વ નથી રાખતું કારણ કે પાકિસ્તાને ભારત દ્વારા સુચવવામાં આવેલી આસીસીની ઇનકમ મોડલ પર સમર્થનની પ્રતિબદ્ધતા પૂર્ણ કરી નથી.
2/5
ઉલ્લેખનીય છે કે, પીસીબીએ બીસીસીઆઈ પર એમઓયૂનું પાલન નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો અને 500 કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો. આ એમઓયૂ પ્રમાણે ભારતે 2015 થી 2023 વચ્ચે પાકિસ્તાન સાથે 6 દ્વિપક્ષીય શ્રેણી રમાવાની હતી.
3/5

આઈસીસીએ પોતાના અધિકારીક ટ્વિટર પર જણાવ્યું કે. વિવાદ નિવારણ પેનલે બીસીસીઆઈ વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના દાવોને નકારી દીધો છે.
4/5

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડ પર દ્વિપક્ષીય શ્રેણી સાથે જોડાયેલા સહમતી પત્ર (એમઓયૂ)નું સન્માન નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો. અને દાવો 447 કરોડનો દાવો કર્યો હતો. ત્રણ દિવસીય સુનાવણી બાદ, આસીસીની પેનલે બીસીસીઆઈ વિરુદ્ધ કરેલા દાવાનો નકારી દીધો છે.
5/5

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મંગળવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને મોટો ઝટકો આપ્યો છે. આઈસીસીએ બીસીસીઆઈ વિરુદ્ધ કરેલા પીસીબીના દાવાનો ફગાવી દીધો છે. આઈસીસીની પેનલે બીસીસીઆઈ વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી)ના 447 કરોડના વળતરના દાવાને ફગાવી દીધો છે.
Published at : 20 Nov 2018 04:28 PM (IST)
View More
Advertisement





















