શોધખોળ કરો

Ind v Eng: ઈંગ્લેન્ડ 161 રનમાં ઓલઆઉટ, પંડ્યાની 5 વિકેટ, ભારતને 168 રનની લીડ

નોટિંઘમઃ ત્રીજી ટેસ્ટમાં ભારતના પ્રથમ ઈનિંગના 329 રનના સ્કોરનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 38.2 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી હાર્દિક પંડ્યાએ 5 વિકેટ ઝડપી લીધી. જે તેની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ પાંચ વિકેટ હતી. ઈશાંત શર્મા અને બુમરાહને 2-2 તથા શમીને 1 સફળતા મળી હતી. ઈંગ્લેન્ડ વતી જોસ બટલરે સર્વાધિક 39 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના ઓપનરો કૂક અને જેનિંગ્સે પ્રથમ વિકેટ માટે 54 રનની પાર્ટનરશિપ કરી હતી.  ઈશાંત શર્માએ કૂકને 29 રનના અંગત સ્કોરે વિકેટકિપર પંતના હાથે કેચ આઉટ કરાવી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે પછી બુમરાહે જેનિંગ્સને 20 રન પર પંતના હાથે આઉટ કરાવી ભારતને બીજી સફળતા અપાવી હતી. પોપ 13 રન કરી ઈશાંત શર્માનો શિકાર બન્યો ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 75 રન હતો. ઈંગ્લેન્ડનો સ્કોર 86 રન પર પહોંચ્યો ત્યારે હાર્દિક પંડ્યાએ જો રૂટને 16 રનના સ્કોરે સ્લિપમાં આઉટ કરાવી ભારતને ચોથી સફળતા અપાવી હતી. ટીમનો સ્કોર 108 રન પર પહોંચ્યો ત્યારે સ્ટોક્સને શમીએ રાહુલના હાથે કેચ આઉટ કરાવી ભારતને પાંચમી સફળતા અપાવી હતી. જે પછી 110 રનના સ્કોરે પંડ્યાએ બેરિસ્ટોને 15 રનના અંગત સ્કોર પર રાહુલના હાથે કેચ કરાવી ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. લોર્ડસ ટેસ્ટમાં સદી ફટકારનારો ક્રિસ વોક્સ 8 રન બનાવી સાતમી વિકેટના રૂપમાં પંડ્યાની ઓવરમાં પંતને કેચ આપી બેઠો હતો. ઈંગ્લેન્ડે 128 રન સુધીમાં 9 વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યાએ 5 વિકેટ લીધી હતી. 10મી વિકેટ માટે બટલર અને એન્ડરસને 33 રનની પાર્ટનરશિપ કરી હતી. આ પહેલાં ટ્રેન્ટ બ્રિજ મેદાન પર વાદળછાયા વાતવરણ વચ્ચે પ્રવાસી ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત અડધા કલાકના વિલંબથી શરૂ થઈ હતી. ઈંગ્લેન્ડના બોલરોએ કંડીશનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. જેના કારણે ભારતની સમગ્ર ટીમ 329 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ વતી એન્ડરસન, બ્રોડ અને વોક્સે 3-3 વિકેટ અને રશિદે 1 વિકેટ લીધી હતી. નોટિંઘમ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે 6 વિકેટના નુકસાન પર 307 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સર્વાધિક 97 રનનું યોગદાન આપ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget