શોધખોળ કરો

IND vs NZ: ભારતની શરમજનક હાર પર વિરાટ કોહલીએ કહ્યું- હાર સ્વીકારવામાં શરમ નથી, આગામી મેચમાં....

બીજી ઇનિંગમાં ભારત 191 રન જ બનાવી શક્યું જેથી ન્યૂઝીલેન્ડને જીતવા માટે માત્ર નવ રનની જરૂરત હતી જે ન્યૂઝીલેન્ડે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના બેસિન રિઝર્વ મેદાન પર રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતની 10 વિકેટે હાર થઈ છે. તેની સાથે જ ન્યૂઝીલેન્ડે બે મેચની ટેસ્ટ સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે  ભારતને પ્રથમ ઈનિંગમાં 165 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી અને પોતાની પ્રથમ ઇનિંગમાં 348 રન બનાવી 183 રનની લીડ મેળવી લીધી હતી. મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીએ કહ્યું, ‘મેચમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન આપી શક્યા અને તેને સ્વીકારવામાં કોઈ શરમ નથી. પ્રથમ ઇિંગમાં બેટ્સમેનોનું પ્રદર્શન સારું ન રહ્યું. એવું કહી શકાય કે આ ટેસ્ટ મેચમાં ટોસે સારી ભૂમિકા ભજવી. જો મેચની પ્રથમ ઇનિંગમાં ભારતે 230-240 રન પણ બનાવ્યા હોત તો બોલરોની મદદથી બીજી ઇનિંગમાં કંઈ આશા રાખી શકાઈ હોત. અમે આગામી મેચમાં એક સારા વિચાર અને પ્રતિસ્પર્ધાની સાથે મેદાનમાં ઉતરીશું.’ ન્યૂઝીલેન્ડની જીત માટે 9 રનની જરૂર હતી બીજી ઇનિંગમાં ભારતીય બેટ્સમેન મોટો સ્કોર ન બનાવી શક્યા અને માત્ર 191 રન જ બનાવી શક્યા જેથી ન્યૂઝીલેન્ડને જીતવા માટે માત્ર નવ રનની જરૂરત હતી જે ન્યૂઝીલેન્ડે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા. ટોમ લોથમ સાત અને ટોમ બ્લંડલે બે રન બનાવી અણનમ હ્યા. બીજી ઇનિંગમાં સાઉદીએ 5 વિકેટ લીધી ભારતે ચોથા દિવસની શરૂઆત ચાર વિકેટ ગુમાવીને 144 રનની સાથે કરી. તે પોતાના ખાતામાં 47 રન જોડીને બાકીની તમામ છ વિકેટ ગુમાવીને ઓલ આઉટ થઈ ગઈ. ટિમ સાઉદીએ બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ માટે પાંચ વિકેટ લીધી. જ્યારે ટેંટ બાઉલ્ટે ચાર વિકેટ લીધી. કાઇલ જેમિસનને બીજી ઇનિંગમાં ન મળી વિકેટ કોલિન ડી ગ્રાંડહોમને એક વિકેટ મળી. પ્રથમ મેચ રમી રહેલ કાઇલ જેમિસને પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ લીધી પરંતુ બીજી ઇનિંગમાં એક પણ વિકેટ મળી ન હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget