શોધખોળ કરો

Ind V Eng: ભારતના 6 વિકેટે 160 રન, વિરાટ કોહલી 49 રન પર આઉટ

1/5
ઓવલઃ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે 48 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 160 રન બનાવી લીધા છે. હાલ ભારત ઈંગ્લેન્ડથી 172 રન પાછળ છે. ભારત તરફથી શિખર ધવને 6, પૂજારા અને કેએલ રાહુલે 37-37 રનનું યોગદાન આપ્યું હતું. રહાણે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. વિરાટ કોહલી 49 રન અને રિષભ પંત  5 રને આઉટ થયો હતો.
ઓવલઃ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે 48 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 160 રન બનાવી લીધા છે. હાલ ભારત ઈંગ્લેન્ડથી 172 રન પાછળ છે. ભારત તરફથી શિખર ધવને 6, પૂજારા અને કેએલ રાહુલે 37-37 રનનું યોગદાન આપ્યું હતું. રહાણે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. વિરાટ કોહલી 49 રન અને રિષભ પંત 5 રને આઉટ થયો હતો.
2/5
 ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 332 રન બનાવ્યા બાદ બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. ભારતનો સ્કોર 6 રન પર પહોંચ્યો ત્યારે શિખર ધવન 3 રન બનાવી બ્રોડની ઓવરમાં પ્રથમ વિકેટના રૂપમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. જે બાદ પૂજારા અને કેએલ રાહુલે ઈનિંગને સ્થિરતા આપી હતી. ભારતનો સ્કોર 70 રન પર પહોંચ્યો ત્યારે રાહુલ 37 રનના અંગત સ્કોર પર સેમ કરનની ઓવરમાં બોલ્ડ થતાં ભારતને બીજો ફટકો લાગ્યો હતો. જે બાદ પૂજારા પણ 37 રન બનાવી એન્ડરસનની ઓવરમાં વિકેટકિપર બેરિસ્ટોના હાથે ત્રીજી વિકેટના રૂપમાં કેચ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 101 રન હતો.
ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 332 રન બનાવ્યા બાદ બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. ભારતનો સ્કોર 6 રન પર પહોંચ્યો ત્યારે શિખર ધવન 3 રન બનાવી બ્રોડની ઓવરમાં પ્રથમ વિકેટના રૂપમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. જે બાદ પૂજારા અને કેએલ રાહુલે ઈનિંગને સ્થિરતા આપી હતી. ભારતનો સ્કોર 70 રન પર પહોંચ્યો ત્યારે રાહુલ 37 રનના અંગત સ્કોર પર સેમ કરનની ઓવરમાં બોલ્ડ થતાં ભારતને બીજો ફટકો લાગ્યો હતો. જે બાદ પૂજારા પણ 37 રન બનાવી એન્ડરસનની ઓવરમાં વિકેટકિપર બેરિસ્ટોના હાથે ત્રીજી વિકેટના રૂપમાં કેચ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 101 રન હતો.
3/5
આ પહેલાં ઈંગ્લેન્ડની ટીમ બીજા દિવસે લંચ બ્રેક પછી 332 બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસે યજમાન ટીમનો સ્કોર 214 પર પહોંચ્યો ત્યારે રાશિદને 15 રને એલબીડબલ્યુ આઉટ કરાવી બુમરાહે ભારતને આઠમી સફળતા અપાવી હતી. જે બાદ બટલર અને બ્રોડ વચ્ચે 98 રનના પાર્ટનરશિપ થઈ હતી અને બંનેએ ઈંગ્લેન્ડનો સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો. બ્રોડ 38 રન બનાવી જાડેજાની ઓવરમાં રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. જે બાદ બટલરે ઝડપી બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને 89 રનના સ્કોરે જાડેજાની બોલિંગમાં આઉટ થતાં જ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગનો 332 રન પર અંત આવ્યો હતો. ઈંગ્લેન્ડની છેલ્લી ત્રણ વિકેટે 151 રન જોડ્યા હતા. ભારત તરફથી જાડેજાએ સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી.
આ પહેલાં ઈંગ્લેન્ડની ટીમ બીજા દિવસે લંચ બ્રેક પછી 332 બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસે યજમાન ટીમનો સ્કોર 214 પર પહોંચ્યો ત્યારે રાશિદને 15 રને એલબીડબલ્યુ આઉટ કરાવી બુમરાહે ભારતને આઠમી સફળતા અપાવી હતી. જે બાદ બટલર અને બ્રોડ વચ્ચે 98 રનના પાર્ટનરશિપ થઈ હતી અને બંનેએ ઈંગ્લેન્ડનો સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો. બ્રોડ 38 રન બનાવી જાડેજાની ઓવરમાં રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. જે બાદ બટલરે ઝડપી બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને 89 રનના સ્કોરે જાડેજાની બોલિંગમાં આઉટ થતાં જ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગનો 332 રન પર અંત આવ્યો હતો. ઈંગ્લેન્ડની છેલ્લી ત્રણ વિકેટે 151 રન જોડ્યા હતા. ભારત તરફથી જાડેજાએ સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી.
4/5
ભારતીય ટીમે બે ફેરફાર કર્યા હતા. હાર્દિક પંડ્યાના સ્થાને હનુમા વિહારીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે અશ્વિનની જગ્યાએ જાડેજાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય ટીમે બે ફેરફાર કર્યા હતા. હાર્દિક પંડ્યાના સ્થાને હનુમા વિહારીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે અશ્વિનની જગ્યાએ જાડેજાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
5/5
પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમતાં કૂકના 71 રન અને મોઇન અલીના 50 રનની મદદથી દિવસના અંતે 198 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી ઈશાંત શર્માએ 3 તથા જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.
પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમતાં કૂકના 71 રન અને મોઇન અલીના 50 રનની મદદથી દિવસના અંતે 198 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી ઈશાંત શર્માએ 3 તથા જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
Embed widget