શોધખોળ કરો

MS Dhoni Retirement Plan: શું ધોની નિવૃત્ત થઈ રહ્યો છે ? CSK ને ચેમ્પિયન બનાવ્યા બાદ ખુદ આપ્યો જવાબ

IPL 2023: ધોનીએ નિવૃત્તિની અટકળોને ફગાવી દીધી છે. તેણે કહ્યું કે દર્શકોના પ્રેમને જોઈને તે આગામી સિઝનમાં તેમને ગિફ્ટ આપવા માટે ફરીથી રમશે.

MS Dhoni Retirement Plan : મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા ફરી એકવાર આઈપીએલનો ખિતાબ જીત્યો. ચેન્નાઈએ IPL 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું. ચેન્નાઈની જીત પહેલા ધોનીના સંન્યાસને લઈને અનેક પ્રકારની વાતો ચાલી રહી હતી. ધોનીએ ચેમ્પિયન બન્યા બાદ નિવૃત્તિ સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તેણે કહ્યું કે તે અત્યારે નિવૃત્ત નહીં થાય. ધોનીએ આગામી સિઝનમાં તેની વાપસી અંગે પણ જવાબ આપ્યો હતો.

ધોનીએ નિવૃત્તિની અટકળોને ફગાવી દીધી છે. તેણે કહ્યું કે દર્શકોના પ્રેમને જોઈને તે આગામી સિઝનમાં તેમને ગિફ્ટ આપવા માટે ફરીથી રમશે. આ સિઝનની શરૂઆતથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ ધોનીની છેલ્લી સિઝન હશે. તેણે કહ્યું, “જો આપણે સંજોગો પર નજર કરીએ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. મારા માટે એ કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે જતો રહ્યો છું, પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરીને વધુ એક સિઝન રમીને પરત ફરવું મુશ્કેલ છે.

તેણે કહ્યું, “શરીરે સહકાર આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તે તેમના માટે મારી ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેઓએ જે પ્રેમ અને જુસ્સો બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આ સિઝનની ફાઇનલ મેચ રવિવારે (28 મે) રમવાની હતી. પરંતુ વરસાદને કારણે એક દિવસ લંબાવવામાં આવ્યો હતો. સોમવારે રમાયેલી મેચ પણ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈને ડકવર્થ લુઈસ નિયમ સાથે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ચેન્નાઈએ 5 વિકેટે જીત મેળવી હતી. ચેન્નાઈની જીતમાં બેટ્સમેનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ

IPL 2023 Champion CSK: ધોનીએ જાડેજાને ઉંચકીને મનાવ્યો જશ્ન, ચેન્નઈ ચેમ્પિયન બન્યા બાદ વીડિયોમાં જુઓ ઈમોશનલ મોમેન્ટ

IPL 2023: ગુજરાત ટાઈટન્સની હાર પાછળ આ રહ્યા મોટા કારણ, આ રીતે બદલાઈ શકતું હતું પરિણામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : મહાકુંભમાં જઈ રહેલા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 3ના મોતPadma Awards 2025 : પદ્મ પુરસ્કારની જાહેરાત , ગુજરાતના કયા કયા મહાનુભાવોને મળશે પદ્મ પુરસ્કાર?Hun To Bolish : હું તો બોલીશ : ટીચર્સનું ટેન્શન અને ટોર્ચર!Hun To Bolish : હું તો બોલીશ : લક્કી નહીં, લૂંટનો ડ્રો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે',  રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે',  રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'
બેરોજગારોને નોકરી, કામદારોને 5 લાખ રૂપિયા સુધીનો વીમો, ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ વચનો આપ્યા
IND vs ENG 2nd T20 Score:  ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ
IND vs ENG 2nd T20 Score: ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
Embed widget