શોધખોળ કરો

બેંગ્લુરું કે પંજાબ, આજે કોણ જીતશે પોતાની પહેલી ટ્રૉફી ? આંકડામાં જાણી લો જીતનો અસલી દાવેદાર

RCB vs PBKS Final Prediction: IPLમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે અત્યાર સુધી 36 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 18-18 વખત વિજયી રહી છે

RCB vs PBKS Final Prediction: ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત વર્ષ 2008 માં થઈ હતી, છેલ્લા 17 સિઝનમાં કુલ સાત અલગ અલગ ટીમો ચેમ્પિયન બની છે. 2025 ની ફાઇનલ (IPL Final 2025) ખૂબ જ ખાસ બનવાની છે, કારણ કે આ વખતે લીગને તેની આઠમી ચેમ્પિયન ટીમ મળવા જઈ રહી છે. 3 જૂને, એટલે કે આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ તેમની પ્રથમ IPL ટ્રોફી માટે ટકરાશે. આ બંને ટીમો પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં હતી, તેથી વિજેતાની આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ અહીં તમે આંકડા જોઈને જાતે નક્કી કરી શકો છો કે કઈ ટીમ જીતવાની શક્યતા વધુ છે.

હેડ-ટૂ-હેડ રેકોર્ડ 
IPLમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે અત્યાર સુધી 36 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 18-18 વખત વિજયી રહી છે. પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં RCBનો સૌથી વધુ સ્કોર 241 રન છે, જે તેણે ગયા વર્ષે બનાવ્યો હતો. બીજીતરફ, બેંગ્લોર સામેની મેચમાં પંજાબ ટીમનો સૌથી વધુ સ્કોર 232 રન છે, જે તેણે 2011માં બનાવ્યો હતો.

છેલ્લી 5 મેચની વાત કરીએ તો, RCB એ પંજાબ કિંગ્સ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું છે. RCB એ છેલ્લી 5 મેચમાં ચાર વખત જીત મેળવી છે. વર્તમાન સિઝનમાં પણ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોચનું સ્થાન મેળવ્યું છે કારણ કે તેણે 3 મેચમાં બે વાર પંજાબને હરાવ્યું છે. અત્યાર સુધી, બેંગ્લોર અને પંજાબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફક્ત એક જ વાર આમને-સામને આવ્યા છે, 2021 માં તે મુકાબલામાં, પંજાબ 4 વિકેટથી જીત્યું હતું.

અમદાવાદના આંકડાએ RCBની મુશ્કેલી વધારી 
RCB એ અત્યાર સુધી અમદાવાદમાં કુલ 6 મેચ રમી છે, જેમાં તેણે ત્રણ જીત મેળવી છે અને 3 વખત હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદમાં છેલ્લી 4 મેચોમાં બેંગ્લોરનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે, કારણ કે આ મેદાન પર છેલ્લી ચાર મેચોમાં બેંગ્લોરને 3 હારનો સામનો કરવો પડ્યો છે. RCB એ IPL 2025 માં હજુ સુધી અમદાવાદમાં કોઈ મેચ રમી નથી.

બીજીતરફ, જો આપણે અમદાવાદમાં પંજાબ કિંગ્સના રેકોર્ડ પર નજર કરીએ, તો તેઓએ અહીં IPLમાં કુલ 7 મેચ રમી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સનો રેકોર્ડ ખૂબ જ સારો રહ્યો છે કારણ કે તેઓ અહીં અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં 5 વખત જીત્યા છે. પંજાબ કિંગ્સે અહીં છેલ્લી પાંચ મેચમાંથી 4 મેચ જીતી છે અને તેઓ અહીં છેલ્લી 3 મેચમાં હાર્યા નથી. IPL 2025 માં, પંજાબે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમની બંને મેચ જીતી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget