શોધખોળ કરો
અકસ્માતમાં ઘાયલ થયેલા ક્રિકેટરે કહ્યું- ‘મને કોઈએ કોરો ચેક આપ્યો નથી, ગુજરાતના પૂર્વ ક્રિકેટરોએ પણ નથી કરી મદદ’
1/3

જેકોબે જણાવ્યું કે, વડાદરોના પૂર્વ ક્રિકેટર્સ સ્વાર્થી છે. તેઓ તેમને ખૂબ જ મહાન માને છે. વડોદરા ક્રિકેટને તેમણે ખૂબ આપ્યું હોવાનું માને છે, પરંતુ સત્ય એ છે કે વડોદરા ક્રિકેટે બે વ્યક્તિએ રણજી ટ્રોફી જીતાડી છે. જેમાંના એક ડી.કે. ગાયકવાડ અને બીજો હું છું. વડોદરાના પૂર્વ ક્રિકેટરોને શરમ પણ આવતી નથી. મારી હાલત ખરાબ હતી ત્યારે મદદ કરવા માટે કોઈ આગળ આવ્યું નહોતું.
2/3

સૌરવ ગાંગુલીને જ્યારે વાતની ખબર પડી ત્યારે તેણે મારી પત્નીનો સંપર્ક કરીને માત્ર બે કલાકમાં જ મારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. તેમણે મારી પત્નીને કહ્યું કે, જ્યારે જેકોબ આંખ ખોલે ત્યારે તેને કહેજો કે તેનું સ્થાન હોસ્પિટલના બેડમાં નહીં પરંતુ ક્રિકેટના મેદાનમાં છે. તેણે ક્રિકેટ માટે ઘણું કામ કરવાનું છે.
Published at : 10 Feb 2019 09:39 AM (IST)
View More





















