શોધખોળ કરો
Advertisement
રોહિત શર્માએ વિન્ડિઝના આ સ્ટાર ખેલાડીની પ્રશંસા કરતા કહ્યું, તે ચાલાક ખેલાડી છે, તેની રણનીતિ હું જાણું છું
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝનો અંતિમ અને નિર્ણાયક ટી-20 મુકાબલો બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝનો અંતિમ અને નિર્ણાયક ટી-20 મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બુધવારે સાંજે 7 કલાકથી મેચ શરૂ થશે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે તિરુવનંતપુરમમાં રમાયેલી બીજી ટી-20 જીતીને સીરિઝમાં 1-1ની બરાબરી કરી હતી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી20માં કોહલીની આક્રમક બેટિંગના સહારે ભારતે જીત મેળવી હતી.
મેચ પહેલા રોહિત શર્માએ કહ્યું કે, કિરોન પોલાર્ડની કેપ્ટનશિપમાં વિન્ડિઝ એક અલગ ટીમ બની ગઈ છે. તે એક ચતુર ખેલાડી છે. પોલાર્ડ પોતાની ટીમ પાસે ઘણી આશા રાખે છે. અમારે આવતીકાલે સર્વશ્રેષ્ઠ દેખાવ કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં લાંબા સમયથી રોહિત અને પોલાર્ડ સામે રમી રહ્યાં છે. પોલાર્ડની પ્રશંસ કરતા રોહિતે કહ્યું કે, તે મેદાન પર ખૂબજ ચતુરાઈથી રણનીતિ બનાવે છે. પરંતુ તેની સાથે રમવાના કારણો મને સારી રીતે ખબર છે કે પોલાર્ડ શું વિચારે છે.
કોણ તોડશે ટેસ્ટમાં 400 રનનો રેકોર્ડ ? લારાએ આપ્યા બે ભારતીયોના નામ, જાણો શું કહ્યું જૂનાગઢ અને અમરેલીમાં બે વર્ષમાં કેટલા દીપડા પકડાયા, કેટલા લોકોના થયાં મોત ? જાણો વિગતLooking confident, @ImRo45 ahead of the decider in Mumbai💪#TeamIndia #INDvWI @Paytm pic.twitter.com/4UpRQ1V0W9
— BCCI (@BCCI) December 10, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion