શોધખોળ કરો
સચિન 2 પોઈન્ટ ઈચ્છે છે અને હું વર્લ્ડ કપ, એક મેચ ન રમવાથી કોઈ ફેર નહીં પડે, જાણો કોણે કર્યું આ નિવેદન

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આગામી વર્લ્ડ કપમાં તેને બે પોઈન્ટ નહીં પણ વર્લ્ડ કપ જોઈએ છે. ગાંગુલીનું આ નિવેદન સચિન તેંડુલકરના એ નિવેદન બાદ આવ્યું છે જેમાં સચિને કહ્યું હતું કે, વર્લ્ડ કપમાં 16 જૂના પાકિસ્તાનની સાથે ન રમવું અને તેને બે પોઈન્ટ આપી દેવા પાકિસ્તાનની મદદ કરવા જેવું હશે. સચિને કહ્યું તેનાથી તેને નફરત હશે.
સૌરવ ગાંગુલીએ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ટાઈટલ જીતવા માટેનું પ્રબળ દાવેદાર ગણાવ્યું છે. ગાંગુલીએ કહ્યું કે, "આ 10 ટીમોનો વર્લ્ડ કપ છે અને પ્રત્યેક ટીમને એક બીજી ટીમ સામે રમવાનું છે. જો ભારત વર્લ્ડ કપમાં એક મેચ ન રમે તો તે કોઈ મોટો મુદ્દો નથી." 
સૌરવ ગાંગુલીએ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ટાઈટલ જીતવા માટેનું પ્રબળ દાવેદાર ગણાવ્યું છે. ગાંગુલીએ કહ્યું કે, "આ 10 ટીમોનો વર્લ્ડ કપ છે અને પ્રત્યેક ટીમને એક બીજી ટીમ સામે રમવાનું છે. જો ભારત વર્લ્ડ કપમાં એક મેચ ન રમે તો તે કોઈ મોટો મુદ્દો નથી." 
સચિને શુક્રવારે સુનીલ ગાવસ્કરના વિચારોનું સમર્થન કરતાં કહ્યું હતું કે ભારતને વિશ્વ કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમવું જોઈએ. તેને હરાવીને બે પોઈન્ટ મેળવવા જોઈએ. તેનાથી વિપરીત ગાંગુલીએ હરભજન સિંહના વિચારોનું સમર્થન કર્યું. તેઓએ કહ્યું કે પાકિસ્તાનની સાથે તમામ પ્રકારના ક્રિકેટ સંબંધો ખતમ કરી દેવાં જોઈએ.
વધુ વાંચો























