શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે
ધરમશાલામાં પ્રથમ ટી 20 પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતં કે, તેઓ રાહુલ ચહલ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને અજમાવી રહ્યા છે. કારણકે અમે બેટિંગ પર વધારે ભાર આપી રહ્યા છીએ અને સતત 200થી વધુનો સ્કોર બનાવા માગીએ છીએ.
![શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે Team India ex cricketer Aakash Chopra statement on Kuldeep and Chahal શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/16171947/chahal-and-kuldeep3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલેને ભલે હાલ ટી-20 ક્રિકેટમાં રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાનો મોકો મળતો ન હોય પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આગામી વર્ષે રમાનારા વિશ્વકપ પહલા ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં તેમની અવગણના થઈ રહી હોવાનું કહેવું ઉતાવળભર્યું ગણાશે. છેલ્લા બે વર્ષમાં પ્રભાવશાળી દેખાવથી વન ડે ટીમમાં સ્થાન નિશ્ચિત કરનારા કુલદીપ અને ચહલને સતત બે ટી20 સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
ધરમશાલામાં પ્રથમ ટી 20 પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતં કે, તેઓ રાહુલ ચહલ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને અજમાવી રહ્યા છે. કારણકે અમે બેટિંગ પર વધારે ભાર આપી રહ્યા છીએ અને સતત 200થી વધુનો સ્કોર બનાવા માગીએ છીએ.
ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આકાશ ચોપડાએ કુલદીપ અને ચહલને બહાર રાખવાના સંદર્ભમાં કહ્યું કે, આ પાછળનો વિચાર એવો છે કે જો તમારી બેટિંગમાં ઉંડાણ છે તો તમે નિશ્ચિત રીતે બેટિંગ કરી શકો છો પરંતુ આ પ્રકારની ઉંડાઈ સાથે તમે પારંપરિક તરીકે રમી શકતા નથી. ઈંગ્લેન્ડે પણ આવું જ કર્યું. તેમણે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ. તેઓ વન ડે ક્રિકેટમાં 400 રન બનાવવા માંગતા હતા અને તેમણે હાંસલ પણ કર્યું. જો ભારત ટી-20 ક્રિકેટમાં આ પ્રકારનું વલણ અપનાવવા માંગતું હોય તો તેમાં ખોટું નથી. હવે તેમણે સતત 220 રન બનાવવાની ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે. આઠમા, નવમા અને દસમાં નંબર સુધી બેટિંગ ઘણી મહત્વાકાંક્ષી છે.
ધરતી પુત્રો આનંદો, હવામાન વિભાગે કરી મોટી આગાહી
દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે ભારતીય, 5 વર્ષમાં દેવાદારીમાં થયો અધધ વધારો
![શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/16172016/chahal-and-kuldeep2-300x225.jpg)
![શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/16172040/chahal-and-kuldeep1-300x225.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)