(Source: Poll of Polls)
બ્રિજભૂષણ સિંહ સામે ફરી ખુલશે મોરચો! કુસ્તીબાજો આજે રાજઘાટ પર કરશે પ્રેસ કોન્ફરન્સ
કુસ્તીબાજો વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી કે ત્રણેય કુસ્તીબાજો ગુરુવારે દિલ્હીના રાજઘાટ પર પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે.

રેસલર વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક ગુરુવારે (10 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ કરશે. વિનેશ ફોગાટે ટ્વીટ કર્યું કે 10 ઓગસ્ટે તેઓ રાજઘાટ પર પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ પ્રેસ કોન્ફરન્સ એવા સમયે થવા જઈ રહી છે જ્યારે રેસલિંગ ફેડરેશનની ચૂંટણી થવાની છે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સુનાવણી ચાલી રહી છે અને કેટલાક કુસ્તીબાજોને એશિયન માટે પસંદગી માટે મળેલી છૂટનો મુદ્દો ગરમ છે.
વિનેશ ફોગાટે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, 'અમે કાલે બપોરે 12.30 વાગ્યે દિલ્હીના રાજઘાટ પર પ્રેસ કોન્ફરન્સ કરવાના છીએ.' તેની સાથે બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે પણ ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી છે.
ગયા મહિને, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને એશિયન ગેમ્સમાં એડ હોક કમિટીના પ્રવેશમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જેનો ઘણા કુસ્તીબાજોએ વિરોધ કર્યો હતો.
आप सभी को नमस्कार 🙏
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 9, 2023
कल दोपहर 12:30 बजे हम press conference कर रहे हैं दिल्ली के राजघाट पर।
जय हिन्द ✊
ગયા મહિને, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને 23 સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયન ગેમ્સ, હાંગઝોઉ માટે એડ-હોક સમિતિ દ્વારા મુક્તિ આપવામાં આવી હતી.
તેને કુસ્તીબાજો તરફથી ઘણી ટીકાઓ મળી હતી અને તેણે ફેસબુક પર કમ્બાઈન લાઈવ સેશન કરીને કુસ્તીબાજો જવાબ આપ્યો હતો. આ ક્સુતીબાજોને એન્ટીમ પંધાને એશિયન ગેમ્સ, હાંગઝૂ માટે ટ્રાયલમાંથી છૂટ આપી હતી.
લાઈવ સેશન દરમિયાન વિનેશે કહ્યું, "અમે ટ્રાયલની વિરુદ્ધ નથી. હું એન્ટિમ પર આરોપ નથી લગાવી રહી. તે સમજવા માટે ખૂબ નાની છે. તે પોતાની જગ્યાએ સાચી છે. તે પોતાના માટે લડી રહી છે અને અમે અમારા અધિકારો માટે લડી રહ્યા છીએ."
બંને કુસ્તીબાજોએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ની એડ-હોક કમિટીએ તેમને ટ્રાયલ અને તેમની સંબંધિત વજન કેટેગરીમાં ટીમમાં સીધા પ્રવેશમાંથી મુક્તિ આપ્યા પછી તેમના પર લાગેલા આરોપોને સંબોધિત કર્યા.
કુસ્તીબાજ અવિનાશ પંઘાલે એક વીડિયો કમ્યુનિકેશન દ્વારા કુસ્તીબાજો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ 2023માં સીધા પ્રવેશ માટે આપવામાં આવેલી છૂટ પર સવાલ ઉઠાવ્યા છે.





















