શોધખોળ કરો
સુરત: ઓલપાડના રિટાયર્ડ મામલતદારે ફાંસો ખાઈ કર્યો આપઘાત, જાણો સુસાઈડ નોટમાં શું લખ્યું હતું?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 22 Sep 2018 09:49 AM (IST)
1/6

(7) ઓલપાડની અશોકનગર સોસાયટીના મકાન નં-15માં રહેતા મહેશ ઇચ્છુ પટેલ (8) તાલુકાના સરસ ગામે રહેતા હરીન શીવા પટેલ (9) તાડવાડી, રાંદેર રોડની નીતા સોસાયટીના મકાન નં-જી-17થી 19માં રહેતા બિપીન નટવરલાલ મિસ્ત્રી, પત્ની બીના તથા બિપીનનો પુત્ર (9) રાંદેર ગોરાટની ગોપાલેશ્વર સોસાયટીમાં રહેતી દમયંતી વલ્લભ લાડ (10) ભરૂચની નારાયણ નગર-1ની રહીશ રાગિણી વિનોદચંદ્ર ઇંટવાલા (11) મોટા વરાછાના સાંકેત રો-હાઉસમાં રહેતી કૈલાશબેન તરૂણ લાડ (12) રામનગર, સુરતના ગોકુળ-રો હાઉસમાં રહેતા કૌશિક નટવરલાલ મિસ્ત્રી મળી કુલ 23 ઈસમો ઉપર જુદા-જુદા આરોપો લગાવીને 14 પાનાંની લખાયેલ સુસાઈડ નોટમાં તેને મોત માટે દુષ્પ્રેરણા આપી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
2/6

દીકરો ઓસ્ટ્રેલિયામાં હોવાથી માતા નીતાબેન, ભાઈ ભાવેશનો દીકરો દક્ષને ઓસ્ટ્રેલિયા બોલાવ્યા હતા. ત્યારે શુક્રવારે સાંજે ડો. ભાવેશ દીકરાને એરપોર્ટ મૂકવા જવાના હોવાથી ઘરમાં બધાં ખુશ જોવા મળ્યા હતાં. જોકે શુક્રવારે કાંતિભાઈએ અચાનક ગળાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ખુશી માતમમાં ફેરવાઈ હતી.
3/6

સુરત નજીક આવેલા ઓલપાડ ટાઉનના ઝાંપા ફળિયામાં રહેતા કાંતિભાઈ રામુભાઈ પટેલ ચાર મહિના પહેલા જ વડોદરા જિલ્લાના નસવાડી ખાતે મામલતદાર તરીકે રિટાયર્ડ થયા હતા. ત્યાર બાદ તેઓ પોતાના દીકરો ભાવેશ પટેલના પરિવાર સાથે રહેતા હતાં. શુક્રવારની સવારે 11 કલાકે ડો.ભાવેશ અને તેમની પોતાની કાર સર્વિસ કરાવવા ગયા હતા. તેમની પત્ની ડોક્ટર નેહા પોતાના ક્લિનિક પર ગઈ હતી. ત્યારે કાંતિભાઈ અને તેમની પત્ની તથા પૌત્ર ઘરે હતા.
4/6

1) જહાંગીરપુરા પેટ્રોલપંપ સામેની ગલીમાં આવેલ હરિકેશ સોસાયટીના મકાન નં-29/30માં રહેતા તેના કાકા હસમુખ રામુ પટેલ, નીરૂ રામુ પટેલ, રાકેશ હસમુખ પટેલ (2) રાંદેર, મોરાભાગળ પેટ્રોલપંપ બાજુની દુર્ગાપુરી સોસાયટીમાં રહેતા મણીલાલ હીરા પટેલ, કિશોર મણીલાલ પટેલ, તારા કિશોર પટેલ તથા સન્ની કિશોરકુમાર પટેલ (3) જહાંગીરપુરા જીનની સામે આવેલ જલારામ સોસાયટીના મકાન ન-8/9માં રહેતા કાનજી મકલ પટેલ તથા રમીલા કાનજી પટેલ (4) ઓલપાડ તાલુકાના અસનાડ ગામે રહેતા રમણ ચુનીલાલ પટેલ, દક્ષા રમણ પટેલ તથા હાર્દિક રમણ પટેલ (5) તાલુકાના કાસલાખુર્દ ગામે રહેતી હંસા ધનસુખ પટેલ (6) માંડવી ટાઉનના સમુસર રોડ ઉપર રહેતી ઇન્દિરા કિશોરલાલ પટેલ
5/6

ત્યારે અચાનક કાંતિભાઈએ પોતાના ઘરના પાર્કિંગમાં જઈને દોરડાથી ગળા ફાંસો ખાઈ લીધો હતો. તે સમયે કોઈ કામ અર્થે ઘરે આવેલા ડો. નેહાએ જોતા આઘાત લાગ્યો હતો. નેહા આ જોઈને બૂમાબૂમ કરી મૂકી હતી જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતાં. તેણે આ બાબતે તુરંત પતિ ભાવેશને ફોન કરી જાણ કરતા કાંતિભાઈને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતાં તબીબે મૃત જાહેર કર્યા હતા.
6/6

ઓલપાડ: ચાર મહિના પહેલા જ મામલતદાર તરીકે રિટાયર્ડ થયેલા કાંતિભાઈ પટેલે 20 વર્ષથી સંબંધીઓના માનસિક ત્રાસના તણાવને લઈને 14 પાનની સુસાઈડ નોટ લખી સુરત નજીક આવેલા ઓલપાડ ખાતે ઘરના પાર્કિંગમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેના કારણ સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 14 પાનાંની સુસાઈડ નોટ અને જરૂરી પુરાવા મળી આવતા તેમના પિતાએ સુસાઈડમાં જણાવેલ 23 ઈસમોના માનસિક ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરી તેઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published at : 22 Sep 2018 09:49 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
સુરત
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરત
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
સુરત
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
સુરત
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
ટ્રેન્ડિંગ સમાચાર





















