શોધખોળ કરો

ભારતમાં 6G ની તૈયારીઓ શરૂ, કેન્દ્રીય મંત્રીએ બતાવ્યું ક્યારે લૉન્ચ થશે સર્વિસ

6G Network In India: ભારતમાં 5G સેવા 2022 માં શરૂ કરવામાં આવી હતી. માત્ર બે વર્ષમાં ભારતમાં 5G નેટવર્ક સ્થાપિત થઈ ગયું છે

6G Network In India: ટેકનોલૉજીમાં સતત અપડેટ આવતુ રહે છે, દુનિયાભરમાં ઇન્ટરનેટની દુનિયા સૌથી વધુ ઝડપથી ડેવલપ કરી રહી છે, આ કડીમાં 5G પછી હવે ભારતમાં 6G સેવાની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે વિશ્વભરના ઘણા દેશો હજુ સુધી 5G સેવા શરૂ કરી શક્યા નથી, ત્યારે ભારત 6G તરફ આગળ વધ્યું છે. ભારતમાં 6G સેવા ક્યારે શરૂ થશે તે અંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી ચંદ્ર શેખર પેમ્માસાનીએ માહિતી આપી છે. આ પહેલા પણ ભારતમાં 6G ટેકનોલોજીના પરીક્ષણ માટે ટેસ્ટ બેડ ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હશે. કેન્દ્રની મોદી સરકારે આ હેતુ માટે ભારત 6G મિશન પણ શરૂ કર્યું છે. 5G ની જેમ, ભારત 6G લૉન્ચ કરનારો વિશ્વના પ્રથમ દેશોમાંનો એક હશે.

ભારતમાં 5G સેવા 2022 માં શરૂ કરવામાં આવી હતી. માત્ર બે વર્ષમાં ભારતમાં 5G નેટવર્ક સ્થાપિત થઈ ગયું છે. દેશના 750 જિલ્લાઓમાંથી 98 ટકા જિલ્લામાં 5G નેટવર્ક પૂરું પાડવામાં આવ્યું છે. એરટેલ અને જિઓ પછી વીએ પણ તેની 5G સેવા શરૂ કરી છે. વળી, સરકારી ટેલિકોમ કંપની BSNL પણ આ વર્ષે જૂનમાં તેની 5G સેવા શરૂ કરશે.

6G 2030 માં લૉન્ચ થશે - 
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, "ભારત 6G મિશન હેઠળ, અમે 2030 સુધીમાં 6G સેવા લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. અમે આગામી પેઢીની સંચાર ટેકનોલોજીની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને ડિપ્લૉયમેન્ટમાં નેતૃત્વ કરીશું અને 2030 સુધીમાં આ સેવા શરૂ કરીશું."

ટેલિકોમ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "અમે ભારતને ટેલિકોમ નિકાસ કેન્દ્ર બનાવવા જઈ રહ્યા છીએ. અમે ફક્ત સેમિકન્ડક્ટર અને નેટવર્ક સાધનોનો ઉપયોગ જ નહીં કરીશું, પરંતુ તેનું ઉત્પાદન પણ કરીશું. અમે ભારતને AI અને ક્વૉન્ટમ કૉમ્પ્યૂટિંગમાં પણ અગ્રેસર બનાવવા માંગીએ છીએ. 5G ના વધુ સારા નેટવર્ક ડિપ્લોયમેન્ટને કારણે, AI, રૉબોટિક્સ અને ક્વૉન્ટમ કૉમ્પ્યૂટિંગમાં સારા પરિણામો આવવા લાગ્યા છે."

ટેલિકોમ રાજ્યમંત્રીનું આ નિવેદન ટેલિકોમ વિભાગ (DoT) એ તેના સત્તાવાર X હેન્ડલ પરથી શેર કર્યું છે. સરકારે ભારતમાં 6G ના વિકાસ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. કેન્દ્રની મોદી સરકારે આ માટે ઇન્ડિયા 6G મિશનની જાહેરાત કરી છે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ જાહેર મંચ પર ઘણી વખત 6G મિશનનો ઉલ્લેખ કર્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget