શોધખોળ કરો

શું સ્માર્ટ મીટર સામાન્ય મીટર કરતા વધુ ઝડપથી ચાલે છે? ટેકનોલોજી વિશે જાણો

ઉત્તર પ્રદેશમાં લોકોના વિરોધ બાદ પ્રીપેડ સ્માર્ટ મીટર પર રોક લગાવાઈ છે. ગ્રાહકોની ફરિયાદ હતી કે મીટર ફાસ્ટ ચાલે છે, પરંતુ વીજળી વિભાગે આ વાતને નકારી કાઢી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • યુપી સરકારે પ્રીપેડ સ્માર્ટ મીટર હાલ પૂરતા બંધ કર્યા.
  • સ્માર્ટ મીટર ઝડપી ચાલે છે, તેવી ફરિયાદો પર રોક.
  • 8.7 મિલિયન ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.
  • સ્માર્ટ મીટર રીઅલ-ટાઇમ વીજળી વપરાશનો ડેટા મોકલે છે.

smart meter technology: ઉત્તર પ્રદેશ સરકારે વીજળી ગ્રાહકોને મોટી રાહત આપતા પ્રીપેડ સ્માર્ટ મીટરની સિસ્ટમ હાલ પૂરતી બંધ કરી દીધી છે. હવે જે ઘરોમાં આવા પ્રીપેડ સ્માર્ટ મીટર લાગેલા છે, તે સામાન્ય પોસ્ટપેડ મીટરની જેમ જ કામ કરશે. ખરેખર, છેલ્લા ઘણા સમયથી લોકો એવી ફરિયાદ કરી રહ્યા હતા કે આ સ્માર્ટ મીટર જૂના સામાન્ય મીટર કરતા વધુ ઝડપથી ચાલે છે, જેના કારણે તેમનું લાઈટ બિલ વધારે આવી રહ્યું છે. લોકોના આક્રોશ અને જાહેર ફરિયાદોને જોતા સરકારે આ સિસ્ટમ પર રોક લગાવી છે. ત્યારે આજે આપણે વિગતવાર જાણીશું કે આ સ્માર્ટ મીટર કઈ ટેકનોલોજી પર કામ કરે છે અને શું ખરેખર તે સામાન્ય મીટર કરતા ફાસ્ટ ચાલે છે?

શું સ્માર્ટ મીટર ખરેખર ફાસ્ટ ચાલે છે?

લોકોની સૌથી મોટી ફરિયાદ એ જ હતી કે સ્માર્ટ મીટરમાં રીડિંગ ઝડપથી વધે છે. જોકે, વીજળી વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ માહિતી તદ્દન ખોટી છે. વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્માર્ટ મીટર ઝડપથી ચાલે છે તેવા દાવા માત્ર અફવા છે. સ્માર્ટ મીટર પણ જૂના સામાન્ય મીટરની જેમ જ કામ કરે છે. ફરક માત્ર એટલો છે કે આમાં એક સિમ કાર્ડ લગાવેલું હોય છે, જે તમારો ડેટા સીધો સિસ્ટમમાં મોકલે છે. આનાથી મીટર રીડિંગ લેવામાં થતી માણસની ભૂલોની શક્યતા સાવ ખતમ થઈ જાય છે. આ વાતને સાબિત કરવા માટે કેટલાક મીટર પર ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. વળી, અધિકારીઓએ એમ પણ કહ્યું કે ગ્રાહકો જાતે જ એપ દ્વારા પોતાના રોજેરોજના રીડિંગ્સ ચેક કરી શકે છે.

યુપીમાં સ્માર્ટ મીટરની સ્થિતિ શું છે?

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ઉત્તર પ્રદેશમાં વીજળીના કુલ 35 મિલિયન ગ્રાહકો છે, જેમાંથી 8.7 મિલિયન ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. પરંતુ લોકોની સતત વધતી ફરિયાદો અને વિરોધની વચ્ચે રાજ્ય સરકારે હવે નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી દીધી છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે દરેક માટે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી.

સ્માર્ટ મીટર કઈ ટેકનોલોજી પર કામ કરે છે?

સ્માર્ટ મીટર એકદમ આધુનિક અને એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે વાસ્તવિક સમયમાં (રીઅલ-ટાઇમમાં) તમે કેટલી વીજળી વાપરી રહ્યા છો તેનો ડેટા રેકોર્ડ કરે છે અને આ માહિતી સીધી ગ્રાહક અને વીજળી વિભાગ બંનેને મોકલે છે. આ મીટર ડેટા મોકલવા અને સચોટ બિલિંગ માટે રેડિયો ફ્રીક્વન્સી અથવા સેલ્યુલર નેટવર્કનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ દર 15 મિનિટ કે 1 કલાકે તમારા વપરાશની નોંધ લે છે. આનાથી ફાયદો એ થાય છે કે ગ્રાહકો મોબાઈલ એપ ડાઉનલોડ કરીને તેમના મીટર દ્વારા વપરાતી વીજળી પર જાતે જ નજર રાખી શકે છે. આ અત્યાધુનિક ટેકનોલોજી વીજળીની ચોરી રોકવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

Frequently Asked Questions

ઉત્તર પ્રદેશમાં સ્માર્ટ મીટરની સિસ્ટમ કેમ બંધ કરવામાં આવી છે?

ગ્રાહકોની ફરિયાદ હતી કે સ્માર્ટ મીટર વધુ ઝડપથી ચાલે છે અને બિલ વધારે આવે છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે હાલ પૂરતી સિસ્ટમ બંધ કરી દીધી છે.

શું સ્માર્ટ મીટર ખરેખર સામાન્ય મીટર કરતાં વધુ ઝડપથી ચાલે છે?

વીજળી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સ્માર્ટ મીટર ઝડપથી ચાલે છે તે વાત ખોટી છે. આ માત્ર અફવા છે અને સ્માર્ટ મીટર સામાન્ય મીટરની જેમ જ કામ કરે છે.

સ્માર્ટ મીટર કઈ ટેકનોલોજી પર કામ કરે છે?

સ્માર્ટ મીટર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાસ્તવિક સમયમાં વીજળી વપરાશનો ડેટા રેકોર્ડ કરે છે. આ માહિતી રેડિયો ફ્રીક્વન્સી અથવા સેલ્યુલર નેટવર્ક દ્વારા મોકલાય છે.

ઉત્તર પ્રદેશમાં કેટલા ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઉત્તર પ્રદેશમાં કુલ 35 મિલિયન ગ્રાહકો છે, જેમાંથી 8.7 મિલિયન ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

How to change address in Aadhaar: હવે તમે ઘરે બેઠા નવી એપમાં બદલી શકો છો આધાર એડ્રેસ, જાણો પ્રોસેસ
How to change address in Aadhaar: હવે તમે ઘરે બેઠા નવી એપમાં બદલી શકો છો આધાર એડ્રેસ, જાણો પ્રોસેસ
Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત
Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ
શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget