શોધખોળ કરો
વડોદરાનાં કુખ્યાત ડોન મુકેશ હરજાણીની હત્યા, અંધાધૂધ 9 ગોળી ધરબી દઇ હત્યા
1/5

તાજેતરમાં જેલમાંથી છુટેલો કુખ્યાત મુકેશ હરજાણી રાતે 11 વાગ્યાના અરસામાં હરણીરોડ પરવૃંદાવન ટાઉનશીપમાં રહેતા તેના મિત્ર પપ્પુ શર્માને મળવા આવ્યો હતો. તે મળીને પરત કારમાં બેસવા જતો હતો ત્યારે જ ધસી આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેને આંતર્યો હતો. મુકેશ અને તેનો મિત્ર પપ્પુ શર્મા કંઇ સમજે તે પહેલા જ અજાણ્યા શખ્સોએ ઉપરાછાપરી 9 રાઉન્ડ ગોળીબાર કરતા અંધાધૂધી મચી ગઇ હતી.
2/5

છેલ્લા ઘણા દિવસોથી વિદેશી દારૂના ધંધા માટે બૂટલેગર ગેંગ સાથે મુકેશ હરજાણીને વિખવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ગેંગસ્ટર મુકેશ હરજાણી પર થયેલા ફાયરીંગ બાદ ડીસીબી પોલીસની એક ટીમ રાત્રે સાડા બાર વાગ્યે કુખ્યાત કલ્પેશ કાછીયાના ઘેર પહોંચી હતી અને એક કલાક સુધી કલ્પેશ કાછીયાના ઘરના દરવાજા ખખડાવ્યા હતા પણ ઘરમાંથી કોઇ પ્રતિસાદ ના મળતાં આખરે પોલીસ પરત ફરી હતી.
Published at : 21 Oct 2016 07:35 AM (IST)
View More





















