શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદીના હસ્તે વડોદરાના અદ્યતન ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન
1/3

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાના નવનિર્મિત ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કર્યુ હતું. મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિત ભાજપના સાંસદો અને અગ્રણીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાદમાં મોદી નવલખી મેદાનમાં આયોજીત દિવ્યાંગોના કાર્યક્રમમાં હાજરી આપશે જ્યાં તેઓ 10 હજાર દિવ્યાંગોને કૃત્રિમ અંગો અને સાધાન-ઉપકરણોની વહેંચણી કરશે.
2/3

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે , સરદાર સરોવરનું કામ પણ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. તેમણે પોતાની સરકારના વખાણ કરતા કહ્યું કે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારબાદ સરદાર સરોવર અને વડોદરા એરપોર્ટ એમ બંન્ને મહત્વપૂર્ણ કાર્ય થયા છે. અંતમાં મોદીએ સૌનો આભાર માન્યો હતો.
3/3

જૂન 2014માં કાર્યારંભ શરૂ કર્યો અને આજે તેને લોકાર્પણ કરવાની તક સાંપડી.મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યુ હતું કે, દેશમાં નવી સરકાર બન્યા બાદ બે એરપોર્ટ એવા છે જેમનો ગ્રીન એરપોર્ટમાં સમાવેશ થશે. કોચી બાદ વડોદરાનું આ એરપોર્ટ ઝીરો ડિસ્ચાર્જ અને એનર્જી સેવિંગ સાથે ઇકોસિસ્ટમના આધારે કામ કરશે.
Published at : 22 Oct 2016 07:22 AM (IST)
View More





















