Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં આવ્યું પૂર?
અમદાવાદના નિકોલનો ગોપાલ ચોક વિસ્તાર. જ્યાં પ્રશાસનના પાપે ગટરિયા પૂરનો સામનો કરી રહી છે જનતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1200 કરોડ રૂપિયાના ખર્ચે ખારીકટ કેનાલના નવિનિકરણનું કામગીરી કરી રહ્યું છે. આ નવીનિકરણની કામગીરીમાં ભેખડ તૂટ્યા બાદ ડ્રેનેજની લાઈન તૂટી જેના કારણે આ સ્થિતિ સર્જાય છે. સ્થાનિકોનો આરોપ છે કે, લાંબા સમયથી એકને એક સમસ્યા ચાલી રહી છે.. કોઈ ઉકેલ આવતો નથી.. આશરે 2 વર્ષથી કેનાલની કામગીરીના પગલે લાઈન સમયાંતરે તૂટી જતી હોવાથી વારંવાર આ સમસ્યા સર્જાય છે.. કાઉન્સિલર,ધારાસભ્ય અને આસિસ્ટન્ટ કમિશનર સુધી રજૂઆત કરી. પણ પરિણામ શૂન્ય. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે, કેનાલ અને તેની સાથે પમ્પિંગ સ્ટેશનમાં આવેલ મોટર સારી રીતે ચલાવવામાં ન આવતા પાણી છેલ્લા બે વર્ષથી રોજ સવારે 11 વાગ્યાથી બેક મારવાનું શરૂ થાય છે. જે રાતના 9 વાગ્યા સુધી ગોપાલ ચોક વિસ્તારમાં ભરેલા રહે છે...





















