શોધખોળ કરો

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

Acharya Rakesh Prasad news: વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે હિન્દુ દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓને આકરી ફટકાર લગાવી છે. તેમણે આવા સાધુઓને મર્યાદામાં રહેવાનો આદેશ આપ્યો છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હિન્દુ દેવી દેવતાઓની નિંદા કરનારા સાધુઓ સમાજમાં કલેશ ઊભો કરે છે.

આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે જણાવ્યું હતું કે શ્રીજી મહારાજે પોતે શિવરાત્રી અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો ઉજવવાનું કહ્યું છે. એટલું જ નહીં, તેમણે દ્વારિકાની યાત્રા કરવી અને જગ્નનાથ ભગવાનનો પ્રસાદ આરોગવાની પણ આજ્ઞા કરી હતી. આચાર્યશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું આચરણ હિન્દુ ધર્મના મૂળ સનાતન રીતનું જ છે.

વધુમાં, આચાર્ય રાકેશપ્રસાદે દાન થકી કમાણીના આશયથી મંદિરો બાંધનારા સંપ્રદાયના લોકોને પણ સ્પષ્ટ આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક સાધુઓ અને હરિભક્તોમાં પ્રાઇવેટ મંદિર બાંધીને મોટા થવાનો મોહ જોવા મળી રહ્યો છે, જે યોગ્ય નથી.

આચાર્યએ શ્રીજી મહારાજે આપેલા મંત્રને બદલવાની કેટલાક લોકોની કૃતિ પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે કેટલાકે શ્રી કૃષ્ણના મંત્રને બદલીને હરિકૃષ્ણ કરી નાખ્યો છે. આવા બદલાયેલા મંત્રની અસરકારકતા પર આચાર્ય રાકેશપ્રસાદે સવાલ ઉઠાવ્યા હતા.

આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે ફરી એકવાર દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓને મર્યાદામાં રહેવાનો આદેશ આપ્યો છે અને સંપ્રદાયનું આચરણ હિન્દુ ધર્મના મૂળ સનાતનની રીતનું જ હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમણે દાનના હેતુથી મંદિરો બાંધનારા લોકોને પણ આ બાબતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

વડતાલના આચાર્યના આદેશ સામે જ્યોતિર્નાથ મહારાજના આકરા સવાલ

વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી દ્વારા તેમના સંતોને દેવી દેવતાઓની નિંદા કરવા બદલ આપવામાં આવેલી કડક સૂચનાઓ બાદ હવે જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન સામે આવ્યું છે. જ્યોતિર્નાથ મહારાજે આચાર્ય રાકેશપ્રસાદના પગલાં સામે આકરા સવાલો ઉઠાવ્યા છે.

જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે સમાજમાં આટલું વૈમનસ્ય ફેલાયું અને બધા સંતો મહંતોનું તથા દ્વારકાધીશનું અપમાન થયા બાદ હવે રાકેશપ્રસાદજી જાગ્યા છે. તેમણે આચાર્ય રાકેશપ્રસાદની કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દેવું અને જ્યારે પરિસ્થિતિ વણસે ત્યારે ખાનગીમાં સૂચનાઓ આપવી અને જાહેરમાં ફટકાર લગાવવાનો શું અર્થ છે?

જ્યોતિર્નાથ મહારાજે વધુમાં કહ્યું કે આ પ્રકારના નિવેદનો અને અપમાન કર્યા બાદ હવે જાગવાનો કોઈ મતલબ નથી. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ વડતાલના આચાર્ય રાકેશપ્રસાદના તાજેતરના આદેશથી સંતુષ્ટ નથી અને તેમને આ પગલું લેવામાં વિલંબ થયો હોવાનું માની રહ્યા છે.

અમદાવાદ વિડિઓઝ

Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
ABP Premium

વિડિઓઝ

Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget