શોધખોળ કરો

Nitin Patel : અનામત આંદોલન કેમ થયું? નીતિન પટેલના નિવેદનથી છેડાયો વિવાદ

Nitin Patel : અનામત આંદોલન કેમ થયું? નીતિન પટેલના નિવેદનથી છેડાયો વિવાદ

Nitin Patel: કડીના ડરણ ગામે નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકારણમાં વધી રહેલા દલાલો વિશે આંચકાજનક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા, દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે, ઉમિયા માતાજીના આશીર્વાદ છે."

નીતિન પટેલે અનામત આંદોલન વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, "90 થી 95 ટકા બિન અનામત વાળા વર્ગના વિદ્યાર્થીઓને આવે તો પણ એડમિશન નહોતા મળતા. સરકારે નવી મેડિકલ કોલેજો શરૂ કરી, બધાને એડમિશન લેવા હોય પણ મળે નહિ, એડમિશન ના મળે, અસંતોષ થાય એટલે આ અનામત આંદોલન થયું, જેનો મૂળ ઉપાય મોદી સાહેબે કરી મેડિકલ સીટો દર વર્ષે 10000 વધશે."

આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. વિપક્ષો નીતિન પટેલના આ નિવેદનને ભાજપ સરકાર પર પ્રહાર કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે. જોકે, ભાજપના નેતાઓ નીતિન પટેલના નિવેદનનો બચાવ કરી રહ્યા છે.

કડી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકારણમાં દલાલોની સંખ્યા વધી હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ નિવેદનને લઈને વિપક્ષોએ ભાજપ સામે મોરચો માંડ્યો છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપનો ખેસ પહેરવો એટલે લૂંટફાટનું લાયસન્સ મેળવવા જેવું છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપે જાતિના પ્રમાણપત્રથી માંડીને ખનિજ ચોરી સુધી તમામ ક્ષેત્રોમાં એજન્ટ પ્રથા દાખલ કરી છે.

આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ નીતિન પટેલના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે, સ્કૂટર પર ફરતા લોકો આજે ફોર્ચ્યુનરમાં ફરે છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપના હોદ્દેદારો અધિકારીઓને ધમકાવીને ગેરકાયદે લાભ મેળવે છે.

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ વ્યંગ કરતા કહ્યું કે, સત્તામાંથી નિવૃત્ત થયા પછી નીતિન પટેલને યાદ આવ્યું કે 2015માં અનામત આંદોલનની માગણી વ્યાજબી હતી, જ્યારે તે સમયે તેમણે આંદોલનકારીઓને ખોટા ગણાવ્યા હતા.

આમ, નીતિન પટેલના નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે અને વિપક્ષને ભાજપ પર પ્રહાર કરવાનો મોકો આપ્યો છે. વિપક્ષનું કહેવું છે કે આ નિવેદન પરથી ભાજપ સરકારે બોધપાઠ લેવો જોઈએ.

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
ABP Premium

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Makar Sankranti 2026:મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ
Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
Embed widget