Bihar Election 2025: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર
Bihar Election 2025: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર
Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી (2025) સંદર્ભે ગુરુવારે (23 ઓક્ટોબર, 2025) ના રોજ પટનાના મૌર્યા હોટેલમાં મહાગઠબંધન દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા અશોક ગેહલોત, બિહાર કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ, વીઆઈપીના વડા મુકેશ સહની, સીપીઆઈએમના દીપાંકર ભટ્ટાચાર્ય અને અન્ય સહયોગી પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી કે તેજસ્વી યાદવ મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હશે. અશોક ગેહલોતે આ જાહેરાત કરી હતી.
આ પ્રસંગે વીઆઈપીના વડા મુકેશ સહનીએ કહ્યું હતું કે લાખો પક્ષના કાર્યકરો આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. તેમણે ભાજપ પર તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપને જ્યાં સુધી તોડીશું નહીં ત્યાં સુધી છોડીશું નહીં. તે સમય આવી ગયો છે. હવે, અમે મહાગઠબંધન સાથે મજબૂત રહીને સરકાર બનાવીશું. મહાગઠબંધન મજબૂત છે.
વાસ્તવમાં મહાગઠબંધનની અંદર બેઠકોની વહેંચણી અંગે અગાઉ કોઈ સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ ન હતી. તણાવપૂર્ણ પરિસ્થિતિ પ્રવર્તી રહી હતી. આજે (ગુરુવારે), પહેલીવાર બિહાર ચૂંટણી અંગે સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. સૌથી અગત્યનું મહાગઠબંધનના ઉમેદવારો લગભગ 13 બેઠકો પર સામ-સામે ચૂંટણી લડી રહ્યા છે





















