Dahod Solar Plant Fire : દાહોદની NTPC કંપનીના સોલાર પ્લાન્ટમાં ફાટી નીકળી ભીષણ આગ, કરોડોનું નુકસાન
Dahod Solar Plant Fire : દાહોદની NTPC કંપનીના સોલાર પ્લાન્ટમાં ફાટી નીકળી ભીષણ આગ, કરોડોનું નુકસાન
દાહોદમાં NTPCના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગને ઓલવવા માટે હટાવવા પાંચથી વધુ JCB પણ કામે લાગ્યા હતાં, 13 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાતા નિર્માણાધીન સોલાર પ્લાન્ટને મોટું નુકસાન થયું છે, 400 કરોડના નુકસાનનો અંદાજ લગાવાય રહ્યો છે.
સોલાર પ્લાન્ટના 95% સાધનો બળીને રાખ થઈ ગયા હતા
ગુજરાતના દાહોદના ભાટીવાડામાં નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ 70 મેગાવોટનો સોલાર પ્લાન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આગ રાત્રે 9 વાગ્યાની આસપાસ ફાટી નીકળી હતી અને પવનને કારણે એટલી ઝડપથી ફેલાઈ હતી કે પ્લાન્ટમાં 400 કરોડ રૂપિયાથી વધુનો સામાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો. સોલાર પેનલ, ટ્રાન્સફોર્મર, કેબલ વગેરે જેવી વસ્તુઓ અહીં રાખવામાં આવી હતી, આમાંથી મોટાભાગની વસ્તુઓ રાખ થઈ ગઈ છે. આગની માહિતી મળતા જ એનટીપીસીના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં આગ એટલી ફેલાઈ ગઈ હતી કે તેને કાબૂમાં લેવો મુશ્કેલ બની ગયો હતો.





















