PM મોદીને વડોદરા એરપોર્ટ અંગેની માહિતી આપનારા આ અધિકારી કોણ છે?
વડોદરાઃ વડાપ્રધાન મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. તેમણે વડોદરાના નવનિર્મિત ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ સમય દરમિયાન વીડિયોમાં મોદીની સાથે લાલ સર્કલમાં નજરે પડતા અધિકારી સૌની આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ અધિકારીને લઇને સૌ કોઇ આશ્વર્યમાં મુકાયા હતા. મોદીને વડોદરા એરપોર્ટ અંગેની માહિતી આપનારા એક અધિકારી બીજું કોઇ નહીં પણ અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ગુરુદાસ મહાપાત્રા હતા.
નોંધનીય છે કે મોદીના વડાપ્રધાન બન્યા બાદ 1986 બેચના ગુજરાત કેડરના અધિકારી મહાપાત્રાને યુનિયન મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા તેના બે વર્ષ બાદ મહાપાત્રાને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. હાલમાં તેઓ આ પદ પર સેવા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહાપાત્રાએ ત્રણ વર્ષ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. તે સિવાય મહાપાત્રાએ જીઆઇડીસીના જોઇન્ટ એમડી, સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સ્પેશ્યલ કમિશનર, કમિશનર ઓફ કોમર્શિયલ ટેક્સ અને કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે.