શોધખોળ કરો
ઈમરાન ખાને વાતચીત માટે લંબાવ્યો હાથ, ભારતે કહ્યું- આતંકવાદ અને મંત્રણા એક સાથે નહીં
1/4

ઈમરાન ખાને પત્ર લખી આગ્રહ કર્યો છે કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી વચ્ચે મંત્રણા થાય. તો બીજી તરફ પાકિસ્તાન વિદેશ વિભાગે બુધવારે કહ્યું કે આ માટે પુરા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા આ મહિને જ થવાની છે. ભારત શક્ય તેટલું જલદી પાકિસ્તાનમાં સાર્ક સંમેલનનું આયોજન કરે તેવો પણ ઈમરાન ખાને પ્રસ્તાવ રાખ્યો છે.
2/4

ઈમરાન ખાને તેના પત્રમાં એમ પણ લખ્યું છે કે ભારત અને પાકિસ્તાનને આતંકવાદ અને કાશ્મીર સંબંધિત તમામ મોટાં મુદ્દાઓની વાતચીતના માધ્યમથી સમાધાન પર વિચાર કરવો જોઈએ.
Published at : 20 Sep 2018 10:12 AM (IST)
View More





















