Peanut Cultivation: 4 મહિનામાં જ માલામાલ થઈ જશે ખેડૂત, આ રીતે કરો મગફળીની ખેતી
Peanut Cultivation: મગફળીની ખેતી મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં થાય છે. જૂનમાં વાવણી કર્યા બાદ ઓક્ટોબર સુધીમાં તેની કાપણી કરવામાં આવે છે
![Peanut Cultivation: 4 મહિનામાં જ માલામાલ થઈ જશે ખેડૂત, આ રીતે કરો મગફળીની ખેતી Agriculture News: In just 4 months farmers earns good profit through peanut cultivation Peanut Cultivation: 4 મહિનામાં જ માલામાલ થઈ જશે ખેડૂત, આ રીતે કરો મગફળીની ખેતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/06/a2ef4dbe57d390bd257ecdbd156602a5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Peanut Cultivation For Health And Wealth: તેલીબિયાંનો મુખ્ય પાક હોવા ઉપરાંત મગફળીને ખરીફ સિઝનનો મહત્વનો પાક ગણવામાં આવે છે. તેની ખેતી મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં થાય છે. જૂનમાં વાવણી કર્યા બાદ ઓક્ટોબર સુધીમાં તેની કાપણી કરવામાં આવે છે. જેના કારણે ખેડૂતો પણ શિયાળા સુધી તગડી કમાણી કરે છે. ગરીબોના કાજુ તરીકે જાણીતી મગફળી ખેડૂતોની ગરીબીને માત્ર 4 મહિનામાં કેવી રીતે દૂર કરે છે તે ખેતીની યોગ્ય તકનીક પર આધારિત છે. આથી સારી કમાણી કરવા માટે મગફળીની ખેતી અદ્યતન બિયારણ અને આધુનિક ટેકનોલોજીથી કરવી જરૂરી છે.
ખેતરની તૈયારી
મગફળીના પાક માટે ખેતરમાં 3-4 વખત હળનું કામ કરવું. ખેડ્યા પછી ખેતરમાં લેવલિંગનું કામ કરો, જેથી ખેતરની જમીનમાં ભેજ જળવાઈ રહે. લેવલિંગ કર્યા બાદ ખેતરમાં જરૂરિયાત મુજબ ઓર્ગેનિક ખાતર, જૈવિક ખાતર અને પોષક તત્વોનો છંટકાવ કરો. આમ કરવાથી સારું ઉત્પાદન મળે છે.
મગફળીની વાવણી
ખેતર તૈયાર થયા બાદ મગફળીની વાવણી માટેના બીજને ટ્રીટ કરો. જેથી જીવજંતુઓ અને રોગો પાકમાં ન આવે. વાવણી માટે માત્ર સુધારેલી જાતો અને સારી ગુણવત્તાના બીજનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી પાકમાં રોગ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. ખેડૂતો 15 જૂનથી 15 જુલાઈ સુધી ખેતરોમાં મગફળી વાવી શકે છે. વાવણી માટે હેક્ટર દીઠ 60-70 કિલો બિયારણનો ઉપયોગ કરો.
પાકમાં સિંચાઈ
મગફળીના પાકને પાણી બચાવતા પાક તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેની સિંચાઈ સંપૂર્ણપણે વરસાદ પર આધારિત છે. આ દરમિયાન ધ્યાન રાખો કે વધારે પડતો વરસાદ પડે તે પહેલા ખેતરમાં ડ્રેનેજની વ્યવસ્થા કરો, જેથી પાકમાં પાણી ભરાય નહીં. જણાવી દઈએ કે મગફળીના પાકમાં પાણી ભરવાથી તેમાં જીવજંતુ અને રોગ થવાની સંભાવના વધી જાય છે. વરસાદ ઓછો હોય તો જરૂરિયાત પ્રમાણે સિંચાઈનું કામ કરવું.
જંતુ-રોગ અને નીંદણ નિયંત્રણ
મગફળીના પાકમાં વધુ નિંદણ નીકળે છે, જે ઉત્પાદનની ગુણવત્તા અને છોડના વિકાસને અસર કરે છે. તેથી વાવણીના 15 દિવસ બાદ અને 35 દિવસ બાદ ખેતરોમાં નીંદામણ કરી ખેતરમાં ઉગતા નકામા ઘાસનું નિંદામણ કરવું જોઈએ. આ ઉપરાંત પાકમાં જીવાત અને રોગનું મોનિટરિંગ રાખો અને પાકમાં 15-15 દિવસના અંતરે જરૂરિયાત મુજબ ઓર્ગેનિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)