શોધખોળ કરો

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ

હવે આગામી 5 એપ્રિલ સુધી ખેડૂતો વેચાણ માટે નોંધણી કરાવી શકશે.

Gujarat wheat MSP: રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા લંબાવી છે. જે ખેડૂતો હજુ સુધી નોંધણી કરાવી શક્યા નથી તેઓ હવે આગામી તારીખ ૦૫ એપ્રિલ સુધી પોતાની નોંધણી કરાવી શકશે.

ગુજરાતમાં રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ ગત તારીખ ૧૭ માર્ચથી કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨,૪૨૫નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવે ગુજરાત રાજ્ય નાગરિક અન્ન પુરવઠા નિગમ દ્વારા ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવી રહી છે.

અગાઉ, લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા તારીખ ૦૧ માર્ચથી ૧૬ માર્ચ દરમિયાન યોજાઈ હતી. જો કે, રાજ્યના ઘણા ખેડૂતો હજુ પણ નોંધણી કરાવવાથી વંચિત રહી ગયા હોવાથી, રાજ્ય સરકારે ખેડૂત લક્ષી નિર્ણય લઈને નોંધણીની સમયમર્યાદાને આગામી ૦૫ એપ્રિલ સુધી લંબાવી છે. હવે બાકી રહેલા ખેડૂત ખાતેદારો ગ્રામ્ય સ્તરેથી જ VCE મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

ગ્રામ્ય સ્તરેથી ઓનલાઈન નોંધણી કરાવવા માટે ખેડૂત મિત્રોએ કેટલાક જરૂરી દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. જેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨ અને ૮/અની નકલનો સમાવેશ થાય છે. જો પાક વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અમાં ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો દાખલો પણ સાથે લાવવાનો રહેશે. આ ઉપરાંત, ખેડૂતના નામના બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ પણ જરૂરી છે.

ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરાવેલા ખેડૂતોને SMS દ્વારા ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. જ્યારે ખેડૂતો ખરીદી માટે આવે ત્યારે તેમણે પોતાનું આધારકાર્ડ અથવા અન્ય કોઈ માન્ય ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખરીદીની પ્રક્રિયા ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ કરવામાં આવશે. નોંધણી દરમિયાન જો કોઈ ખેડૂત દ્વારા ખોટા દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતની નોંધણી રદ કરવામાં આવશે અને તેને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં.

ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે નોંધણી સંબંધિત કોઈપણ મુશ્કેલીના નિવારણ માટે ખેડૂતો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અને ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
Stock Market: કોઈ 2800 તો કોઈ 18 રૂપિયામાં... પોતાના 52 વીક લો પર વેચાઈ રહ્યા છે આ કંપનીના શેર
Stock Market: કોઈ 2800 તો કોઈ 18 રૂપિયામાં... પોતાના 52 વીક લો પર વેચાઈ રહ્યા છે આ કંપનીના શેર
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Bhavnagar:  માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
Bhavnagar: માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
ગેરકાયદેસર સટ્ટાબાજી એપનું પ્રમોશન કરનાર ફિલ્મ સ્ટાર્સની મુશ્કેલી વધી, રાણા દગ્ગુબાતી સહિત 25 લોકો સામે FIR દાખલ
ગેરકાયદેસર સટ્ટાબાજી એપનું પ્રમોશન કરનાર ફિલ્મ સ્ટાર્સની મુશ્કેલી વધી, રાણા દગ્ગુબાતી સહિત 25 લોકો સામે FIR દાખલ
Embed widget