શોધખોળ કરો

Natural Farming Conclave: સુરતમાં PM મોદીએ પ્રાકૃતિક ખેતી સંમેલનમાં કર્યું વર્ચુઅલ સંબોધન, કહી આ મોટી વાત

Natural Farming Conclave: પ્રધાનમંત્રીએ કહ્યું, પ્રાકૃતિક ખેતી વ્યક્તિગત ખુશાલીનો રસ્તો ખોલે છે, ઉપરાંત सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया ની ભાવનાને પણ સાકાર કરે છે. આ

PM Modi in Natural Farming Conclave: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન (Natural Farming Conclave)ને સંબોધન કર્યું.  ગુજરાતના સુરતમાં આયોજિત કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરતા તેમણે કહ્યું, ગુજરાતનું પ્રાકૃતિક ખેતી મોડલ એક દિવસ દેશ માટે પ્રાકૃતિક ખેતીનું મોડલ બનશે. દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, જેનાથી તેમની આવક પણ વધશે.

પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી નથી પણ ધરતી માતા, ગૌમાતા અને જીવની સેવા છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી નથી પણ ધરતી માતા, ગૌમાતા અને જીવની સેવા છે. તેના દ્વારા ખેડૂતોની આવકના નવા સ્ત્રોત ખૂલ્યા છે. દેશમાં પ્રાકૃતિક ખેતીને લઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સૂરતમાં આયોજિત આ કાર્યક્રમમાં તેની ઝલક જોવા મળી રહી છે. થોડા સમય પહેલા દેશમાં પ્રાકૃતિક ખેતીને લઈ એક નેશનલ કોન્કલેવનું આયોજન થયું હતું.

ગુજરાતના 40 હજારથી વધુ ખેડૂતો કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીઃ મોદી

પીએમ મોદીએ કહ્યું, સુરતમાં દરેક ગ્રામ પંચાતમાં 75 ખેડૂતોની પસંદગી કરવા માટે ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિ બનાવવામાં આવી છે. આ દરમિયાન ટ્રેનિંગ, પ્રોગ્રામ અને વર્કશોપનું આયોજન કરાયું છે. આટલા ઓછા સમયમાં 550થી વધારે પંચાયતના 40 હજારથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે.

ભારત સ્વભાવ અને સંસ્કૃતિથી કૃષિ આધારિત દેશઃ મોદી

પ્રધાનમંત્રીએ કહ્યું, પ્રાકૃતિક ખેતી વ્યક્તિગત ખુશાલીનો રસ્તો ખોલે છે, ઉપરાંત सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया ની ભાવનાને પણ સાકાર કરે છે. આપણું જીવન, આપણું સ્વાસ્થ્ય્, આપણો સમાજ તમામના આધારમાં કૃષિ વ્યવસ્થા છે. ભારત સ્વભાવ અને સંસ્કૃતિથી કૃષિ આધારિત દેશ રહ્યો છે. તેથી જેમ જેમ આપણો ખેડૂત આગળ વધશે તેમ ખેતી વધુ સમૃદ્ધ થશે અને આપણા દેશ પણ આગળ વધશે.

પ્રાકૃતિક ખેતી લોકો માટે વધારાની આવકનો સ્ત્રોત છે. કારણકે તેમાં ખેડૂત છાણ માટે ગૌપાલન કરે છે. તેના દ્વારા ખેડૂતોને વધારાની આવક પણ થાય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિની સેવા અને રક્ષા થાય છે. પીએમ મોદીએ કહ્યું, સુરતમાં પ્રાકૃતિક ખેતી માટે છાણિયું ખાતર બનાવવા 30-40 ગૌશાળા સાથે ટાઈઅપ કરાયું છે. તેનાથી ગૌમાતાની સેવા થશે.  પ્રાકૃતિક કેથીમાં રાસાયણિક જંતુનાશકનો ઉપયોગ થતો નથી, તેનાથી લોકો નિરોગી રહે છે અને સારવારનો ખર્ચ બચે છે. આ કારણે પ્રાકૃતિક ખેતી વ્યક્તિગત ખુશહાલીનો રસ્તો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget