![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Agriculture : રાસાયણીક ખાતર છોડો અપનાવો આ ઓર્ગેનિક ખાતર, માત્ર 1 લિટરનો છંટકાવ કરી દેશે માલામાલ
ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબ ગામમાં જ સેન્દ્રીય ખાતર બનાવે છે, પરંતુ જમીનની તંદુરસ્તી અને પાકની યોગ્ય વૃદ્ધિ માટે કેટલાક પોષક તત્વોની પણ જરૂર પડે છે જે ખાતર દ્વારા પૂરી થાય છે.
![Agriculture : રાસાયણીક ખાતર છોડો અપનાવો આ ઓર્ગેનિક ખાતર, માત્ર 1 લિટરનો છંટકાવ કરી દેશે માલામાલ Organic Farming : IFFCO Sagarika Bio Fertilizer Made From Seaweed Improves Crop Quality and Productivity Agriculture : રાસાયણીક ખાતર છોડો અપનાવો આ ઓર્ગેનિક ખાતર, માત્ર 1 લિટરનો છંટકાવ કરી દેશે માલામાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/10/59e17e5673e34bf478a31767c399cba8167334632567281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bio Fertilizer: ખેતીને પહેલા કરતા વધુ સુવિધાજનક બનાવવા માટે આપણી સરકાર અને વૈજ્ઞાનિકો સતત નવા પ્રયોગો કરી રહ્યા છે. આધુનિક તકનીકો અને મશીનોને પણ કૃષિમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ તેમને અપનાવવા માટે વધુ ખર્ચ ના કરવો પડે તે માટે જ ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ તમામ પ્રયાસોનો એક જ ઉદ્દેશ્ય છે, પાકની ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો કરવાનો. પર્યાવરણનું ધ્યાન રાખી ઉત્પાદકતા વધારવા માટે જૈવિક ખાતર અને ખાતર પાકની સારા માધ્યમો સાબિત થઈ રહ્યા છે. જેથી જૈવિક ખાતર બનાવવું હિતાવહ રહેશે જે ખરેખર ખૂબ જ સરળ છે.
ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબ ગામમાં જ સેન્દ્રીય ખાતર બનાવે છે, પરંતુ જમીનની તંદુરસ્તી અને પાકની યોગ્ય વૃદ્ધિ માટે કેટલાક પોષક તત્વોની પણ જરૂર પડે છે જે ખાતર દ્વારા પૂરી થાય છે. હવે સમસ્યા એ પણ છે કે રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
આ જ કારણ છે કે જૈવિક ખાતરો અપનાવવાની સલાહ આપવામાં આવે છે. જેના સ્ત્રોત છોડ અને સમુદ્રી સેવાળ પણ હોય છે. હા, દેશમાં નેનો યુરિયા અને નેનો ડીએપી લોન્ચ કરનારી કંપની IFFCOએ સમુદ્રી સેવાળમાંથી અદભૂત બાયો ફર્ટિલાઇઝર બનાવ્યું છે, જે પાકની ગુણવત્તા અને ઉત્પાદન સુધારવામાં અસરકારક સાબિત થઈ રહ્યું છે.
કેવી રીતે બને IFFCOની 'સાગરિકા'?
IFFCOએ ભારતના દક્ષિણ-પૂર્વીય દરિયાકાંઠાને અડીને આવેલા સમુદ્રમાં ઉગતી લાલ-ભૂરા શેવાળમાંથી 'સાગરિકા' પ્રોડક્ટ બનાવવામાં આવી છે, જે છોડની વૃદ્ધિ અને પાકની ઉપજ વધારવામાં મદદરૂપ બને છે. IFFCO વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, IFFCOના સાગરિકા પ્રોડક્ટમાં 28% સમુદ્રી સેવાળ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, કુદરતી હોર્મોન્સ અને વિટામિન્સ જેવા ઘણા પોષક તત્વો રહેલા છે.
શું છે 'સાગરિકા'ના ફાયદા?
ઈફ્કોની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર સમુદ્રી સેવાળમાંથી બનેલી સાગરિકાનો મુખ્ય ફોકસ પાકની ગુણવત્તા સુધારવાનો છે. સાથે ફળો અને ફૂલોના કદમાં વધારો કરવા, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાકને બચાવવા, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને છોડના વિકાસ માટે આંતરિક પ્રવૃત્તિઓ વધારવાની કામગીરી કરવામાં આવે છે. તેનો અનાજ, કઠોળ, તેલીબિયાં, ફળો, ફૂલો અને શાકભાજીના પાક પર જરૂરિયાત મુજબ છંટકાવ કરી શકાય છે.
ઓર્ગેનિક ખેતીમાં ફાયદાકારક
ઘણા ખેડૂતો વર્ષોથી રાસાયણિક ખેતી કરી રહ્યા છે, જેઓ સાથે મળીને ઓર્ગેનિક ખેતી તરફ વળતા ખચકાય છે. પાક ઉત્પાદન ઘટવાની ચિંતા રહે છે. આ સ્થિતિમાં IFFCO સાગરિકા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે રાસાયણિક મુક્ત ખાતર અથવા પોષક ઉત્પાદન છે, જે પાકને નુકસાન પહોંચાડ્યા વિના ઉપજ વધારવામાં મદદરૂપ છે.
IFFCO સાગરિકાનો કોઈપણ પાક પર બે વાર છંટકાવ કરી શકાય છે. નિષ્ણાતોના મતે 30 દિવસના અંતરે સાગરિકાનો છંટકાવ કરવાથી સારું પરિણામ મળે છે. તે 500 થી 600 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે. ખેડૂતો એક લીટર સાગરિકાને પાણીમાં ઓગાળીને એક એકર પાક પર છંટકાવ કરી શકે છે.
Disclaimer : સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ખેડૂત ભાઈઓ, કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)