શોધખોળ કરો

AAPનો આક્ષેપઃ 16મીએ કેજરીવાલની સુરત રેલીથી ડરેલી ભાજપ સરકારે ઇન્ટરનેટ સેવા બંધ કરી

1/4
આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે, અરવિંદ કેજરીવાલની સુરતની રેલીથી ડરી ગયેલી ભાજપ સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાનું બહાનું કાઢીને ગુજરાતમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાના નિર્ણય લીધો છે. આપની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 16 તારીખે કેજરીવાલ સુરત ખાતે 2017 વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને સૌ પ્રથમ જાહેરસભા કરવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતભરમાં લોકોમાં તેમને જોવા અને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાતની બહાર દેશભરમાં પણ લોકો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્યમાં અરવિંદ કેજરીવાલની સૌપ્રથમ જંગી જાહેરસભા જોવા ઉત્સુક છે. ત્યારે મીડિયાના મિત્રો આ સભાનું સીધું પ્રસારણ ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા ના કરી શકે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ પર ઓનલાઇન આ સભાનું સીધું પ્રસારણ ના કરી શકે તે માટે જ જાણે આ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે .
આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે, અરવિંદ કેજરીવાલની સુરતની રેલીથી ડરી ગયેલી ભાજપ સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાનું બહાનું કાઢીને ગુજરાતમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાના નિર્ણય લીધો છે. આપની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 16 તારીખે કેજરીવાલ સુરત ખાતે 2017 વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને સૌ પ્રથમ જાહેરસભા કરવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતભરમાં લોકોમાં તેમને જોવા અને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાતની બહાર દેશભરમાં પણ લોકો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્યમાં અરવિંદ કેજરીવાલની સૌપ્રથમ જંગી જાહેરસભા જોવા ઉત્સુક છે. ત્યારે મીડિયાના મિત્રો આ સભાનું સીધું પ્રસારણ ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા ના કરી શકે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ પર ઓનલાઇન આ સભાનું સીધું પ્રસારણ ના કરી શકે તે માટે જ જાણે આ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે .
2/4
અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક આવતી કાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. તેમની ગુજરાત મુલાકાતને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. ત્યારે આજે અમદાવાદમાં પણ કેજરીવાલ વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ ગુજરાત સરકારે 16મી ઓક્ટોબરે સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લીક ન થાય, તે માટે ગુજરાતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીએ ભાજપ સરકારને આડેહાથ લીધી છે.
અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક આવતી કાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. તેમની ગુજરાત મુલાકાતને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. ત્યારે આજે અમદાવાદમાં પણ કેજરીવાલ વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ ગુજરાત સરકારે 16મી ઓક્ટોબરે સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લીક ન થાય, તે માટે ગુજરાતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીએ ભાજપ સરકારને આડેહાથ લીધી છે.
3/4
એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી કેજરીવાલને 2017 વિધાનસભા ચૂંટણીઓ સુધી ગુજરાતમાં જ રહેવાનું નિમંત્રણ આપવાનું નાટક કરે છે ને બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી દિલ્લીના મુખ્યમંત્રીને પાકિસ્તાનના હીરો જેટલી નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરી સંબોધન કરે છે, જે માત્રને માત્ર તેમની બોખલાહટ અને અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા સામેનો ડર દેખાડે છે. જીતુભાઇ દ્વારા આરોપ લગાડવામાં આવ્યો હતો કે, કેજરીવાલ ગુજરાતમાં વર્ગવિગ્રહ કરાવવા આવી રહ્યં છે ત્યારે આમ આદમી પાર્ટી તેમને કહેવા માંગે છે કે, ભડકાઉ ભાષણ આપવા, લોકોમાં ઝેર ફેલાવવું, પોતાના રાજકીય હિત માટે વિભિન્ન સમાજમાં નફરત ફેલાવવી આ તમામ કાર્યો માટે કયો રાજકીય પક્ષ જાણીતો છે તે સૌ કોઈ જાણે જ છે. જીતુભાઇ અરવિંદ કેજરીવાલ ગુજરાત તમારા છેલ્લા વિસ વર્ષના કુસાશન અને હિટલરરાજનો ખાત્મો કરવા આવી રહ્યા છે. જો છેલ્લા 20 વર્ષના ભાજપના શાશન દરમ્યાન તમે લોકહિતના કરવાલાયક કાર્યો કર્યા હોત તો આજે આમ આદમી પાર્ટીથી આટલો ફફડાટ જોવા ના મળતો હોત.
એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી કેજરીવાલને 2017 વિધાનસભા ચૂંટણીઓ સુધી ગુજરાતમાં જ રહેવાનું નિમંત્રણ આપવાનું નાટક કરે છે ને બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી દિલ્લીના મુખ્યમંત્રીને પાકિસ્તાનના હીરો જેટલી નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરી સંબોધન કરે છે, જે માત્રને માત્ર તેમની બોખલાહટ અને અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા સામેનો ડર દેખાડે છે. જીતુભાઇ દ્વારા આરોપ લગાડવામાં આવ્યો હતો કે, કેજરીવાલ ગુજરાતમાં વર્ગવિગ્રહ કરાવવા આવી રહ્યં છે ત્યારે આમ આદમી પાર્ટી તેમને કહેવા માંગે છે કે, ભડકાઉ ભાષણ આપવા, લોકોમાં ઝેર ફેલાવવું, પોતાના રાજકીય હિત માટે વિભિન્ન સમાજમાં નફરત ફેલાવવી આ તમામ કાર્યો માટે કયો રાજકીય પક્ષ જાણીતો છે તે સૌ કોઈ જાણે જ છે. જીતુભાઇ અરવિંદ કેજરીવાલ ગુજરાત તમારા છેલ્લા વિસ વર્ષના કુસાશન અને હિટલરરાજનો ખાત્મો કરવા આવી રહ્યા છે. જો છેલ્લા 20 વર્ષના ભાજપના શાશન દરમ્યાન તમે લોકહિતના કરવાલાયક કાર્યો કર્યા હોત તો આજે આમ આદમી પાર્ટીથી આટલો ફફડાટ જોવા ના મળતો હોત.
4/4
અખબારી યાદીમાં જણાવાયું છે કે, પોતાને ગતિશીલ, વાઇબ્રન્ટ ગણાવતી સરકાર એટલી પણ વહીવટી ક્ષમતા નથી ધરાવતી કે, એક સ્પર્ધાત્મક પરીક્ષા સામાન્ય નાગરિકોને તકલીફ પહોંચાડ્યા વગર પૂર્ણ કરાવી શકે. આ તેનું જીવતુંજાગતું ઉદાહરણ છે. ગુજરાતની રાજનીતિમાં અરવિંદ કેજરીવાલ સૌપ્રથમ એવા નેતા હશે કે જેના આગમનના સમાચાર માત્રથી સાશક પક્ષ આટલો ભયભીત થયો હોય અને બોખલાહટમાં આટલી નીચલા સ્તરની રાજનીતિ કરતો હોય. એક નેતાને રાજ્યના વેપારીઓ બોલાવે તો વેપારીઓને ડરાવી ધમકાવી કાર્યક્રમ રદ્દ કરાવવો, કાર્યક્રમના સ્થળની મંજૂરી રદ્દ કરાવવી, જાહેરસભા કરવાની અનુમતિ ન આપવી અને જો જાહેરસભા થવા જઈ રહી હોય તો ડરપોકની જેમ અન્ય સંગઠનોના નામે દુષ્પ્રચાર કરતા બેનરો લગાવવા, લોકોના મનમાં ડરનો માહોલ પેદા કરવો એક નેતા પાર્ટી અને વિચારધારાના ડરથી આ પ્રકારની હરકતો કદાચ જ કોઈ અન્ય સાશક રાજકીય પક્ષે કરી હશે.
અખબારી યાદીમાં જણાવાયું છે કે, પોતાને ગતિશીલ, વાઇબ્રન્ટ ગણાવતી સરકાર એટલી પણ વહીવટી ક્ષમતા નથી ધરાવતી કે, એક સ્પર્ધાત્મક પરીક્ષા સામાન્ય નાગરિકોને તકલીફ પહોંચાડ્યા વગર પૂર્ણ કરાવી શકે. આ તેનું જીવતુંજાગતું ઉદાહરણ છે. ગુજરાતની રાજનીતિમાં અરવિંદ કેજરીવાલ સૌપ્રથમ એવા નેતા હશે કે જેના આગમનના સમાચાર માત્રથી સાશક પક્ષ આટલો ભયભીત થયો હોય અને બોખલાહટમાં આટલી નીચલા સ્તરની રાજનીતિ કરતો હોય. એક નેતાને રાજ્યના વેપારીઓ બોલાવે તો વેપારીઓને ડરાવી ધમકાવી કાર્યક્રમ રદ્દ કરાવવો, કાર્યક્રમના સ્થળની મંજૂરી રદ્દ કરાવવી, જાહેરસભા કરવાની અનુમતિ ન આપવી અને જો જાહેરસભા થવા જઈ રહી હોય તો ડરપોકની જેમ અન્ય સંગઠનોના નામે દુષ્પ્રચાર કરતા બેનરો લગાવવા, લોકોના મનમાં ડરનો માહોલ પેદા કરવો એક નેતા પાર્ટી અને વિચારધારાના ડરથી આ પ્રકારની હરકતો કદાચ જ કોઈ અન્ય સાશક રાજકીય પક્ષે કરી હશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget