શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાજપના કયા નેતાના પુત્રો અને જમાઈને વનઆરક્ષિત જમીન અપાતાં હાઈકોર્ટમાં પીટિશન કરાઈ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/15090056/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![અરજદારોનો આક્ષેપ છે કે બાબુ બોખીરિયાને લાભ અપાવવા માટે સરકાર જંગલની જમીન રિલોકેટ કરી રહી છે. અરજદારોનો દાવો છે કે, આ જમીનની કિંમત 300 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ ઉપરાંત તેમાં ત્રીસથી ચાલીસ વર્ષ સુધી ઉત્ખનન થાય તેટલો લાઈમસ્ટોન દટાયેલો છે. અરજદારો કલેક્ટર કે અન્ય સંબંધિત અધિકારીઓ પાસે જ્યારે આરક્ષિત જમીનને રિલોકેટ કરવાના પરિપત્રો કે હુકમની માગણી કરે છે ત્યારે તેમને કોઈ જવાબ ન અપાતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/15090056/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અરજદારોનો આક્ષેપ છે કે બાબુ બોખીરિયાને લાભ અપાવવા માટે સરકાર જંગલની જમીન રિલોકેટ કરી રહી છે. અરજદારોનો દાવો છે કે, આ જમીનની કિંમત 300 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ ઉપરાંત તેમાં ત્રીસથી ચાલીસ વર્ષ સુધી ઉત્ખનન થાય તેટલો લાઈમસ્ટોન દટાયેલો છે. અરજદારો કલેક્ટર કે અન્ય સંબંધિત અધિકારીઓ પાસે જ્યારે આરક્ષિત જમીનને રિલોકેટ કરવાના પરિપત્રો કે હુકમની માગણી કરે છે ત્યારે તેમને કોઈ જવાબ ન અપાતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે.
2/5
![આ જમીનને વિવિધ ટુકડાઓમાં વહેંચી તેની બોગસ પાવર ઓફ એટર્ની ઉભી કરી બાબુ બોખીરિયાએ 11થી પણ વધુ સોદા દ્વારા સમગ્ર જમીન તેના પુત્રો અને જમાઈની માલિકીની વીર ટ્રેડિંગ કંપનીના નામે કરાવી હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે જામનગર જિલ્લાની જામજોધપુર કોર્ટમાં સિવિલ સ્યુટ પણ દાખલ કરવામાં આવ્યો હતો. હવે સરકાર આ જમીનને રિલોકેટ કરવાનું વિચારી રહી હોવાનું કારણ દર્શાવી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/15090029/BJP3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ જમીનને વિવિધ ટુકડાઓમાં વહેંચી તેની બોગસ પાવર ઓફ એટર્ની ઉભી કરી બાબુ બોખીરિયાએ 11થી પણ વધુ સોદા દ્વારા સમગ્ર જમીન તેના પુત્રો અને જમાઈની માલિકીની વીર ટ્રેડિંગ કંપનીના નામે કરાવી હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે જામનગર જિલ્લાની જામજોધપુર કોર્ટમાં સિવિલ સ્યુટ પણ દાખલ કરવામાં આવ્યો હતો. હવે સરકાર આ જમીનને રિલોકેટ કરવાનું વિચારી રહી હોવાનું કારણ દર્શાવી રહી છે.
3/5
![વનવિભાગ અને સ્થાનિકોના પ્રયત્નોથી આ જમીન પર 10,000 વૃક્ષો ધરાવતા વગડાનું સર્જન થયું છે. જેમાં અત્યારે 3000થી વધુ હરણ અને 27થી વધુ દીપડા હરીફરી રહ્યા છે. ઉપરાંત આ જમીન બરડા વન અભયારણ્યથી નજીક છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/15090025/BJP2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વનવિભાગ અને સ્થાનિકોના પ્રયત્નોથી આ જમીન પર 10,000 વૃક્ષો ધરાવતા વગડાનું સર્જન થયું છે. જેમાં અત્યારે 3000થી વધુ હરણ અને 27થી વધુ દીપડા હરીફરી રહ્યા છે. ઉપરાંત આ જમીન બરડા વન અભયારણ્યથી નજીક છે.
4/5
![પરવાડા ગ્રામ પંચાયતના સાત સભ્યોએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે પરવાડા ગામમાં 200 હેક્ટરની જમીન વનવિભાગ માટે અનામત રાખવાનો નિર્ણય કરી એક પરિપત્ર જારી કર્યો હતો. વર્ષ 2004માં ફોરેસ્ટ સર્વેયર દ્વારા આ જમીનની માપણી પણ કરવામાં આવી હતી. વનવિભાગને જમીન સોંપવામાં આવી ત્યારે અહીં માત્ર વેરાન જમીન હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/15090021/BJP1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરવાડા ગ્રામ પંચાયતના સાત સભ્યોએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે પરવાડા ગામમાં 200 હેક્ટરની જમીન વનવિભાગ માટે અનામત રાખવાનો નિર્ણય કરી એક પરિપત્ર જારી કર્યો હતો. વર્ષ 2004માં ફોરેસ્ટ સર્વેયર દ્વારા આ જમીનની માપણી પણ કરવામાં આવી હતી. વનવિભાગને જમીન સોંપવામાં આવી ત્યારે અહીં માત્ર વેરાન જમીન હતી.
5/5
![જામનગર જિલ્લાની પરવાડા ગ્રામ પંચાયતે ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન કરી દાદ માગી છે કે આ ગામની હદમાં આવેલી અને બરડા વન અભયારણ્યની નજીક વનવિભાગે આરક્ષિત કરેલી 200 હેક્ટર જમીન બાબુ બોખીરિયાના પુત્રો અને જમાઈને આપવામાં આવી છે. સરકારનું આ પગલું ગેરબંધારણીય અને અન્યાયી હોવાની રજૂઆત અરજદારો દ્વારા કરવામાં આવી છે. આ પીટિશનની સુનાવણી આગામી દિવસોમાં જસ્ટિસ બેલા ત્રિવેદી સમક્ષ હાથ ધરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/15090017/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જામનગર જિલ્લાની પરવાડા ગ્રામ પંચાયતે ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન કરી દાદ માગી છે કે આ ગામની હદમાં આવેલી અને બરડા વન અભયારણ્યની નજીક વનવિભાગે આરક્ષિત કરેલી 200 હેક્ટર જમીન બાબુ બોખીરિયાના પુત્રો અને જમાઈને આપવામાં આવી છે. સરકારનું આ પગલું ગેરબંધારણીય અને અન્યાયી હોવાની રજૂઆત અરજદારો દ્વારા કરવામાં આવી છે. આ પીટિશનની સુનાવણી આગામી દિવસોમાં જસ્ટિસ બેલા ત્રિવેદી સમક્ષ હાથ ધરવામાં આવશે.
Published at : 15 Aug 2018 09:04 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)