શોધખોળ કરો

Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ

Monsoon Diseases: આકરી ગરમીમાંથી રાહત આપતો વરસાદ હવે પડવા લાગ્યો છે. દેશના અનેક ભાગોમાં ચોમાસાના આગમનથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે

Monsoon Diseases : આકરી ગરમીમાંથી રાહત આપતો વરસાદ હવે પડવા લાગ્યો છે. દેશના અનેક ભાગોમાં ચોમાસાના આગમનથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જો કે આ વરસાદ રાહતની સાથે સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. આ ઋતુમાં અનેક ખતરનાક બીમારીઓનો ખતરો વધી જાય છે. કેટલીક બીમારીઓ એવી હોય છે જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ રોગોના લક્ષણોને કેવી રીતે ઓળખી શકાય અને તેનાથી બચવાના ઉપાયો શું છે.

વરસાદમાં બીમારીઓ કેમ વધે છે?

આરોગ્ય નિષ્ણાતોના મતે વરસાદની ઋતુમાં વાતાવરણ ભેજવાળુ બની જાય છે. આના કારણે બેક્ટેરિયા અને વાયરસને ખીલવા માટે અનુકૂળ હવામાન મળે છે, જે ઘણી બીમારીઓનું કારણ બને છે. આ સીઝનમાં વાયરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ વધારે હોય છે, જેમાં બાળકો અને વૃદ્ધો સૌથી વધુ બીમારીઓની ઝપેટમાં આવી જાય છે.

વરસાદમાં આ રોગોનું જોખમ વધારે છે

તબીબોના મતે ઝાડા, ટાઈફોઈડ, વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને મેલેરિયાનું જોખમ સૌથી વધુ હોય છે અને વરસાદની મોસમમાં તે ઝડપથી ફેલાય છે. ટાઇફોઇડ અને ઝાડા ખરાબ ખાવા-પીવાના કારણે થાય છે. ઉલ્ટી અને ઝાડા થવાની સમસ્યા પણ રહે છે. કેટલાક બેક્ટેરિયા વાયરલ તાવનું કારણ પણ બને છે. આ સીઝનમાં ફ્લૂનું જોખમ પણ વધારે હોય છે.

ડેન્ગ્યુ અને મેલેરિયા સૌથી ખતરનાક છે

વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો સૌથી વધુ ભય રહે છે. બંને મચ્છર કરડવાથી ફેલાય છે. આ ઋતુમાં પાણી એકઠું થઈ જાય છે, જેમાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે. તેમના કરડવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા વધે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.

વરસાદની મોસમમાં કોને સૌથી વધુ જોખમ હોય છે?

આરોગ્ય નિષ્ણાતોના મતે, ચોમાસાના આગમન સાથે રોગોનું જોખમ વધે છે, અને નબળા રોગપ્રતિકારક શક્તિવાળા લોકો સૌથી ઝડપથી તેનો શિકાર બને છે. વાયરસ અને બેક્ટેરિયા આવા લોકો પર સરળતાથી હુમલો કરી શકે છે, તેથી તેઓએ સાવચેત રહેવું જોઈએ.

વરસાદી રોગોના સામાન્ય લક્ષણો

તાવ

માથાનો દુખાવો

સ્નાયુમાં દુખાવો

શ્વાસની તકલીફ

ઉલટી, ઝાડા

વરસાદી રોગોથી કેવી રીતે બચવું

  1. મચ્છરોની ઉત્પતિને અટકાવો, ઘરની આસપાસ કે છત પર પાણી જમા ન થવા દો.
  2. તમારા આહારનું ખાસ ધ્યાન રાખો, બહારનો ખોરાક ટાળો.
  3. માત્ર સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવો
  4. સ્વચ્છતા પ્રત્યે બેદરકાર ન રહો.
  5. સમયાંતરે હાથ ધોવાનું રાખો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Embed widget