શોધખોળ કરો
ગુજરાતના માથેથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યુ, રાજ્યભરમાં ખાબક્યો કમોસમી વરસાદ
1/5

સુરેંદ્રનગરના લિંબડીમાં બે ઈંચ ,કપરાડા, સાગબારા અને વઘઈ તાલુકામાં દોઢ ઈંચ , જ્યારે ચુડા,ચીખલી, બારડોલી અને વલસાડ તાલુકામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. દ્વારકાના કલ્યાણપુર, ખંભાળિયા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે મગફળી, કપાસ, બાજરી, એરંડાના પાકને મોટું નુકસાન થયું છે.
2/5

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવતા નબળું પડશે. ચોથી નવેમ્બરથી 7મી નવેમ્બર સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલમાં વેરાવળથી 540 કિલોમીટર દક્ષિણ પશ્ચિમે વાવાઝોડું સક્રિય છે.
Published at : 02 Nov 2019 04:42 PM (IST)
View More





















