શોધખોળ કરો
કાલે હાર્દિક આવશે જેલની બહાર, બે લાખ પાટીદારો કરશે ભવ્ય સ્વાગત, બીજી કઈ છે તૈયારીઓ ?
1/6

હાર્દિક પટેલ સુરતથી રોડ માર્ગે વિરમગામ જવા રવાના થશે. રસ્તામાં અંકલેશ્વર, ભરૂચ, વડોદરા ખાતે પણ પાટીદારો તેના ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. હાર્દિક અમદાવાદમાં પણ રોકાશે અને પાટીદારોને મળીને ટૂંકું સંબોધન કરશે. એ પછી હાર્દિક વિરગગામ પોતાના પરિવાર પાસે જશે.
2/6

હાર્દિકને રાજદ્રોહના કેસમાં જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી છે. વિરમગામ હાર્દિકના ઘરે તેના પરિવારજનો અને પાસના આગેવાનો સાથે ચર્ચા કરીને હાર્દિકે ક્યાં રહેવું તે નક્કી કરાશે. જુદાં જુદાં રાજ્યોમાંથી હાર્દિકને જે ઓફરો આવી છે તેના પર ચર્ચા કરાશે.
Published at : 10 Jul 2016 10:44 AM (IST)
View More





















