શોધખોળ કરો
હાર્દિક પટેલની વાત લઈને નરેશ પટેલ ક્યારે જશે સરકાર પાસે? જાણો મહત્વની વિગત
1/5

અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14 દિવસ છે. હાલ હાર્દિક પટેલને મળવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા છે. હાર્દિક પારણા કરે તેવી અપીલ પણ કરી છે અને આજે કે કાલે પારણા કરે તેવી શક્યતા છે. પાટીદારોમાં એવી ચર્ચા છે કે કાગવડ ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલ મધ્યસ્થી કરશે.
2/5

નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ અને ઉમિયાધામ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો મળીને અમે ચર્ચા કરીશું ત્યાર બાદ સરકાર સાથે મધ્યસ્થી કરીને ચર્ચા કરીશું અને બને એટલું તમામ મુદ્દાઓનો નિવેડો લાવીશું. પાટીદારોને હાર્દિકને બહુ જ ચિંતા છે. હાર્દિકની ત્રણ માંગ છે તેની પણ ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. જેમ બને તેમ જલ્દી જ સરકાર સાથે બેઠક યોજીશું અને આ ત્રણેય મુદ્દાઓનો નિવેડો લાવીશું. હાર્દિક ક્યારે પારણા કરશે તેની જાણ હું તમને કરીશ.
Published at : 07 Sep 2018 03:07 PM (IST)
View More



















