સોલંકી ગુજરાતમાં કોળી સમાજના ટોચના અને લોકપ્રિય નેતા છે.
3/5
થોડા દિવસો પહેલા મંત્રીમંડળમાં સારું ખાતું આપવા મામલે સોલંકીએ ભાજપ હાઇકમાન્ડને દોઢ મહિનાનું એલ્ટીમેટમ આપ્યું હતું. જો આ સમય મર્યાદામાં તેમની માંગણી નહીં સતોષાય તો ભાજપ સામે બગાવત કરવાની ચીમકી આપી હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
4/5
અમદાવાદઃ ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી અને કોળી નેતા મંત્રી પરષોતમ સોલંકીની તબિયત ફરી એક વખત બગડી છે. બ્લડસુગર વધી જવાના કારણે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
5/5
ઉલ્લેખનીય છે કે સોલંકીને રૂપાણી કેબિનેટમાં સારૂં ખાતું ના મળતાં નારાજ થયા હતા અને આ નારાજગીને લીધે તેમણે છેક છેલ્લે ધારાસભ્યના શપથ લીધા હતાં. એ પહેલાં તેમણે મુખ્યમંત્રી રૂપાણીને મળીને સારૂં ખાતું આપવા પણ માંગ કરી હતી અને ભાજપે તેમની માગં સંતોષવા આશ્વાસન આપ્યું હતું.