શોધખોળ કરો
રાઘવજી પટેલનો હુંકારઃ પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે
1/4

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાઘવજી પટેલે ભાજપ પર પ્રહાર કરતાં હુંકાર કર્યો છે કે, પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે. તેમણે જણાવ્યું છે કે, સુરત ખાતેના અભિવાદન સમારોહમાં જે રીતે ખુરશીઓ ઉછળી, જસદણ ખાતેના સંમેલનમાં ખુરશીઓને બાંધી રાખવી પડી તેમજ સુરત અને જસદણ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી મંડળના સભ્યોને હજારો પોલીસ કાફલા વચ્ચે પણ સલામતી જળવાઈ રહે તે માટે લોખંડની જાળી લગાવવી પડી આ તમામ બાબતો દર્શાવે છે કે, ભાજપના અહંકાર ભ્રષ્ટ નિતીને લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
2/4

ભાવનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષના સમારોહમાં પાટીદાર સમાજના યુવાનો પર અગાઉની ધટનાઓને ધ્યાનમાં લઈ ખોટી રીતે પોલીસ દ્વારા અટકાયત સહિત બેફામ લાઠીચાર્જ અને હુમલા કરવામાં આવ્યા. પાટીદાર સમાજ ભાજપ સરકારની નીતિ અને નિયતને ઓળખી ગયો છે, ત્યારે આવનાર દિવસોમાં ભાજપ સરકારની દમન નીતિ સામે ઉગ્રતા સાથે લડત અપાશે.
Published at : 14 Sep 2016 10:15 AM (IST)
Tags :
Gujarat BjpView More





















