શોધખોળ કરો
પાટીદાર અનામત આંદોલનને લઇને હાર્દિકની મોટી જાહેરાત, 25 ઓગસ્ટથી બેસશે આમરણાંત ઉપવાસ પર
1/6

હાર્દિકે ફેસબુક પર લખ્યું હતું કે, હું પાટીદાર ક્રાંતિ દિવસ એટલે કે 25 ઓગસ્ટથી પાટીદાર સમાજ ને અનામત આપવાની માંગ સાથે આમરણ ઉપવાસ ઉપર ઉતરીશ. જ્યાં સુધી પાટીદાર સમાજને અનામતનો લાભ નહિ મળે ત્યાં સુધી હું આમરણ ઉપવાસ ઉપર બેસીશ. જીવ જાય તો જાય પણ હવે અનામત ઉપર સરકાર કોઇ ચોક્કસ નિર્ણય કરે.
2/6

વધુમાં હાર્દિકે કહ્યું કે, ગુજરાતમાંથી રોજ હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને અસંખ્ય લોકો મને સહયોગ આપવા એક દિવસના પ્રતીક ઉપવાસ પણ કરશે. તે સિવાય દરરોજ એક વ્યક્તિ સરકારને અનામત મુદ્દે જગાડવા માટે મુંડન પણ કરાવશે.
Published at : 08 Jul 2018 02:16 PM (IST)
View More





















