શોધખોળ કરો
જીતુ વાઘાણી રાજપૂતોના પગે પડી ગયાઃ અમિત શાહની હાજરીમાં માફી માગીને શું કહ્યું? જાણો વિગત
1/5

ભાવનગર: ભાવનગરના બુધેલ ગામના સરપંચ સામે જમીન વિવાદ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે સર્જાયેલા વિવાદનો અંત આવી ગયો છે. ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં શનિવાર રાત્રે જીતુ વાઘાણીએ રાજપૂત સમાજની માફી માગી લેતા સમાધાન થઈ ગયું હોવાનું બુધેલના સરપંચ દાનસંગભાઈ મોરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
2/5

આ સંદર્ભમાં કારડિયા રાજપૂત સમાજના આગેવાન કાનભા ગોહિલે કહ્યું હતું કે, ‘સૌથી પહેલા અમે સૌ આનંદીબેન પટેલના બંગલે ભેગા થયા હતા અને ત્યાંથી અમિત શાહના બંગલે ગયા હતાં. જ્યાં જીતુભાઈ વાઘાણીએ મારી ભૂલ થઈ ગઈ, હું અને દાનસંગમ ોરી મિત્રો હતાં. જે થયું તે માટે દિલગીરી વ્યક્ત કરું છું એમ કહ્યું અને અમિતભાઈ બધાં ખોટા કેસો પાછા ખેંચી લેવાની ખાતરી આપી એટલે અમારે કંઈ કરવાનું રહેતું નથી.’
Published at : 12 Nov 2017 11:33 AM (IST)
View More























