શોધખોળ કરો

ડાકોરમાં લવજેહાદઃ પરણીત પ્રેમી સાથેના સંબંધથી સગીરા બની સગર્ભા, પછી શું આવ્યો કરુણ અંજામ?

1/9
દરમિયાન ગ્રામપંચાયતના સભ્ય ઝુબેદાબેન વહોરાના પતિ અજીતભાઇ અને પંચાયતના જ સભ્ય દિનેશભાઇ ગણપતભાઇ મકવાણા તેમના ઘરે આવ્યા હતા. અઘટિત બનાવ અંગે દુઃખ વ્યક્ત કરી જે થઇ ગયું તે થઇ ગયું. આમા કોઇ પોલીસ કેસ ન કરવાનું અને છોકરીની લાશને લઇને રખડવું પડશે તેવું કહી ચાલ્યા ગયા હતા. આથી ગભરાયેલા માતા-પિતાએ પારૂલની લાશને સમાજના રીતરીવાજ મુજબ ગામના જ સરકારી દવાખાના પાછળની જમીનમાં દાટી દીધી હતી.
દરમિયાન ગ્રામપંચાયતના સભ્ય ઝુબેદાબેન વહોરાના પતિ અજીતભાઇ અને પંચાયતના જ સભ્ય દિનેશભાઇ ગણપતભાઇ મકવાણા તેમના ઘરે આવ્યા હતા. અઘટિત બનાવ અંગે દુઃખ વ્યક્ત કરી જે થઇ ગયું તે થઇ ગયું. આમા કોઇ પોલીસ કેસ ન કરવાનું અને છોકરીની લાશને લઇને રખડવું પડશે તેવું કહી ચાલ્યા ગયા હતા. આથી ગભરાયેલા માતા-પિતાએ પારૂલની લાશને સમાજના રીતરીવાજ મુજબ ગામના જ સરકારી દવાખાના પાછળની જમીનમાં દાટી દીધી હતી.
2/9
મૃત્યુના પાંચ દિવસ બાદ પારુલે જ્યાં આત્મહત્યા કરી હતી, તેની સફાઇ કરતા ખૂણામાંથી સફેદ કલરનો મોબાઇલ મળી આવ્યો હતો. જેમાં ગામના જ એક પરણિત મુસ્લિમ યુવક તાહીર રફીક વ્હોરા દ્વારા કરાયેલા ગુજરાતીમાં એસએમએસ હતા. ઉપરાંત તેના ફોટા પણ હતા. મોબાઇલ મળ્યા બાદ પારુલ પ્રેગનન્ટ હોવાની માતા-પિતાને જાણ થઇ હતી.
મૃત્યુના પાંચ દિવસ બાદ પારુલે જ્યાં આત્મહત્યા કરી હતી, તેની સફાઇ કરતા ખૂણામાંથી સફેદ કલરનો મોબાઇલ મળી આવ્યો હતો. જેમાં ગામના જ એક પરણિત મુસ્લિમ યુવક તાહીર રફીક વ્હોરા દ્વારા કરાયેલા ગુજરાતીમાં એસએમએસ હતા. ઉપરાંત તેના ફોટા પણ હતા. મોબાઇલ મળ્યા બાદ પારુલ પ્રેગનન્ટ હોવાની માતા-પિતાને જાણ થઇ હતી.
3/9
ગત ૧૭મીની સવારે માતા હિનાબેને પારુલને પથારીમાં ન જોતા તેમને પતિ રાજેશભાઇને જાણ કરી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો પણ ત્યાં ભેગા થઇ ગયા હતા અને પારુલની શોધખોળ કરી હતી. અચાનક તેના નાનાભાઇએ બૂમો પાડતા બધા ઘરના સ્ટોરરૂમ જેવા ઓરડામાં ગયા હતા. જ્યાં પારુલ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. આથી ઘરના લોકો ગભરાઇ ગયા હતા.
ગત ૧૭મીની સવારે માતા હિનાબેને પારુલને પથારીમાં ન જોતા તેમને પતિ રાજેશભાઇને જાણ કરી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો પણ ત્યાં ભેગા થઇ ગયા હતા અને પારુલની શોધખોળ કરી હતી. અચાનક તેના નાનાભાઇએ બૂમો પાડતા બધા ઘરના સ્ટોરરૂમ જેવા ઓરડામાં ગયા હતા. જ્યાં પારુલ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. આથી ઘરના લોકો ગભરાઇ ગયા હતા.
4/9
ઘટના સ્થળેથી શંકાસ્પદ મુસ્લિમ યુવકનો મોબાઇલ મળી આવતા લવજેહાદનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ઠાસરા તાલુકાના નેસ ગામે હનુમાન ફળિયામાં રહેતા રાજેશભાઇ રાવળની સગીર દીકરી પારુલ રાઠોડે ગત ૧૭મી જૂલાઇ ૨૦૧૭ના રોજ રાતે પોતાના જ ઘરના સ્ટોરરૂમમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પારુલનું સગપણ આણંદ તાલુકાના સંદેશર ગામે કરેલ હતું.
ઘટના સ્થળેથી શંકાસ્પદ મુસ્લિમ યુવકનો મોબાઇલ મળી આવતા લવજેહાદનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ઠાસરા તાલુકાના નેસ ગામે હનુમાન ફળિયામાં રહેતા રાજેશભાઇ રાવળની સગીર દીકરી પારુલ રાઠોડે ગત ૧૭મી જૂલાઇ ૨૦૧૭ના રોજ રાતે પોતાના જ ઘરના સ્ટોરરૂમમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પારુલનું સગપણ આણંદ તાલુકાના સંદેશર ગામે કરેલ હતું.
5/9
નડિયાદઃ ડાકોર નજીકના નેસ ગામે લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સગીરાએ મુસ્લીમ યુવકના ત્રાસથી કંટાળીને સગર્ભા અવસ્થામાં જ ગળા ફાંસો ખાધો હોવાની ઘટનામાં આજે નવો વળાંક આવ્યો છે અને ૨૫ દિવસ પછી યુવતીનો દટાયેલો મૃતદેહ બહાર કાઢી એફએસએલ તપાસમાં મોકલી અપાયો છે. છેલ્લાં પંદર દિવસથી સગીરાનો પરિવાર મુસ્લિમ યુવક સામે ફરિયાદ કરતો હતો, પરંતુ પોલીસે ભીનું સંકેલવાનો પ્રયત્નો કર્યા હોવાના આક્ષેપો થયા છે.
નડિયાદઃ ડાકોર નજીકના નેસ ગામે લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સગીરાએ મુસ્લીમ યુવકના ત્રાસથી કંટાળીને સગર્ભા અવસ્થામાં જ ગળા ફાંસો ખાધો હોવાની ઘટનામાં આજે નવો વળાંક આવ્યો છે અને ૨૫ દિવસ પછી યુવતીનો દટાયેલો મૃતદેહ બહાર કાઢી એફએસએલ તપાસમાં મોકલી અપાયો છે. છેલ્લાં પંદર દિવસથી સગીરાનો પરિવાર મુસ્લિમ યુવક સામે ફરિયાદ કરતો હતો, પરંતુ પોલીસે ભીનું સંકેલવાનો પ્રયત્નો કર્યા હોવાના આક્ષેપો થયા છે.
6/9
આ મામલે ગઈ કાલે બપોરે નેશ મુકામે જમીનમાં દાટેલ પારુલની લાશ બહાર કાઢવામાં આવી હતી અને અમદાવાદ એફએસએલમાં વધુ તપાસ માટે મોકલી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉપરાંત આ પ્રકરણમાં પોલીસે અપમૃત્યુની નોંધ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટની સ્પેશિયલ મંજૂરી લઈ લાશને બહાર કાઢી હોવાનું પીએસઆઈએ જણાવ્યું હતું.
આ મામલે ગઈ કાલે બપોરે નેશ મુકામે જમીનમાં દાટેલ પારુલની લાશ બહાર કાઢવામાં આવી હતી અને અમદાવાદ એફએસએલમાં વધુ તપાસ માટે મોકલી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉપરાંત આ પ્રકરણમાં પોલીસે અપમૃત્યુની નોંધ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટની સ્પેશિયલ મંજૂરી લઈ લાશને બહાર કાઢી હોવાનું પીએસઆઈએ જણાવ્યું હતું.
7/9
આ મામલે ડાકોર પોલીસ કોઇને કોઇ બહાને ગુનો ન નોંધવાના બહાના કાઢતી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરાયા છે. અંતે ઠાસરાના બજરંગ દળ અને હિન્દુ સંગઠનનું દબાણ વધતા ડાકોર પોલીસે ગત સોમવારે માતા હિનાબેનની ચાર વ્યક્તિઓ સામે કરેલ આક્ષેપની અરજી પોલીસને સ્વીકારવી પડી હતી અને ફરિયાદ નોંધી હતી. તે સમયે આ બનાવની તપાસ જમાદારને સોંપાતા પોલીસની કાર્યવાહી સામે શંકાની સોય ઉઠી છે.
આ મામલે ડાકોર પોલીસ કોઇને કોઇ બહાને ગુનો ન નોંધવાના બહાના કાઢતી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરાયા છે. અંતે ઠાસરાના બજરંગ દળ અને હિન્દુ સંગઠનનું દબાણ વધતા ડાકોર પોલીસે ગત સોમવારે માતા હિનાબેનની ચાર વ્યક્તિઓ સામે કરેલ આક્ષેપની અરજી પોલીસને સ્વીકારવી પડી હતી અને ફરિયાદ નોંધી હતી. તે સમયે આ બનાવની તપાસ જમાદારને સોંપાતા પોલીસની કાર્યવાહી સામે શંકાની સોય ઉઠી છે.
8/9
મોબાઇલ મળ્યાની જાણ તાહીરના ઘરમાં થતા તેઓએ પારુલના માતા-પિતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હોવાનું પારુલના માતા-પિતા જણાવી રહ્યા છે. ઉપરાંત અજીતભાઇ વહોરા અને દિનેશભાઇ મકવાણા દ્વારા પણ પોલીસ કેસ ન કરશો, કરશો તો કઇ નહીં થાય, અમારી પહોંચ ઉપર સુધી છે તેવી ધમકી આપી આખો મામલો દબાવી દેવાની વાત કર્યાનો આક્ષેપ પણ પારુલના માતા પિતા દ્વારા કરાયા છે.
મોબાઇલ મળ્યાની જાણ તાહીરના ઘરમાં થતા તેઓએ પારુલના માતા-પિતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હોવાનું પારુલના માતા-પિતા જણાવી રહ્યા છે. ઉપરાંત અજીતભાઇ વહોરા અને દિનેશભાઇ મકવાણા દ્વારા પણ પોલીસ કેસ ન કરશો, કરશો તો કઇ નહીં થાય, અમારી પહોંચ ઉપર સુધી છે તેવી ધમકી આપી આખો મામલો દબાવી દેવાની વાત કર્યાનો આક્ષેપ પણ પારુલના માતા પિતા દ્વારા કરાયા છે.
9/9
ઉપરાંત મોબાઇલમાં તાહીરે પારુલને ધમકી ભર્યા મેસેજીસ પણ કરેલ હતા. તાહીરે પારુલના મંગેતરને પણ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત પારુલે જે પીઢ પર દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી, તે પીઢ જમીનથી માત્ર ૬ ફૂટ ઉપર જ છે અને પારુલની હાઇટ ૫ ફૂટ ૪ ઇંચની છે. ત્યારે પારુલે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે તે પોલીસે શોધવાનું રહ્યું.
ઉપરાંત મોબાઇલમાં તાહીરે પારુલને ધમકી ભર્યા મેસેજીસ પણ કરેલ હતા. તાહીરે પારુલના મંગેતરને પણ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત પારુલે જે પીઢ પર દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી, તે પીઢ જમીનથી માત્ર ૬ ફૂટ ઉપર જ છે અને પારુલની હાઇટ ૫ ફૂટ ૪ ઇંચની છે. ત્યારે પારુલે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે તે પોલીસે શોધવાનું રહ્યું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand: ઉમરેઠમાં મહી કેનાલ તૂટી, ખેતરો પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર
Anand: ઉમરેઠમાં મહી કેનાલ તૂટી, ખેતરો પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, 22 બસો દ્વારા લોકોનું સ્થળાંતર
સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, 22 બસો દ્વારા લોકોનું સ્થળાંતર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
Embed widget