શોધખોળ કરો

Amarnath Yatra: આજથી અમરનાથ યાત્રા શરૂ, મંદિર માટે રવાના થયો શ્રદ્ધાળુઓને પહેલો જથ્થો

વાર્ષિક અમરનાથ યાત્રા માટે 4,400થી વધુ શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો શનિવારે અહીં ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થયો હતો. યાત્રિકોએ સવારે 188 વાહનોમાં બેઝ કેમ્પ છોડ્યા હતા

Amarnath Yatra: બાબા ભોલેનાથના દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. બાબા બર્ફાનીના દર્શન માટેની આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલતાલ બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓનો પ્રથમ જથ્થો ગુફા મંદિર માટે રવાના થયો છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શનિવારે સવારે શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પમાંથી નીકળી ગયા છે. બાલટાલથી મંદિર સુધીનો 13 કિમી લાંબો ટ્રેક કેટલાક અત્યંત જોખમી પર્વતીય પ્રદેશોમાંથી પસાર થાય છે, જ્યાં લૉકલ ગાઇડ અને ટટ્ટુઓ શ્રદ્ધાળુઓ માટે કામમાં આવે છે.

વાર્ષિક અમરનાથ યાત્રા માટે 4,400થી વધુ શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો શનિવારે અહીં ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થયો હતો. યાત્રિકોએ સવારે 188 વાહનોમાં બેઝ કેમ્પ છોડ્યા હતા, જેનાથી અમરનાથ યાત્રા માટે જમ્મુ બેઝ કેમ્પ છોડનારા યાત્રાળુઓની કુલ સંખ્યા 7,904 થઈ ગઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે 2,733 શ્રદ્ધાળુઓ સવારે 4.50 વાગ્યે 94 વાહનોમાં પહેલગામ જવા નીકળ્યા હતા, જ્યારે 1,683 શ્રદ્ધાળુઓ લગભગ એક કલાક વહેલા 92 વાહનોમાં બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે સવારે ભગવતી નગર બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપી હતી. અમરનાથની 62 દિવસીય યાત્રા શનિવારે કાશ્મીરથી શરૂ થઈ હતી.

આ યાત્રા માટે બે રૂટ છે. એક અનંતનાગ જિલ્લામાં 48 કિમી લાંબો પરંપરાગત નુનવાન-પહેલગાવ માર્ગ, જ્યારે બીજો ગાંદરબલ જિલ્લામાં બાલટાલ માર્ગ છે, જે લગભગ 14 કિમી ટૂંકો છે પરંતુ અત્યંત મુશ્કેલ છે. યાત્રામાં ભાગ લેનાર શ્રદ્ધાળુએ કહ્યું, “અમને અમરનાથની યાત્રા શરૂ કરીને ખૂબ જ આનંદ થાય છે. હું હંમેશા હિમ શિવલિંગના દર્શન કરવા માંગતો હતો.” ભગવતી નગર બેઝ કેમ્પની આસપાસ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુમાં 33 આવાસ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે અને ભક્તોને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેગ આપવામાં આવી રહ્યા છે. યાત્રા પર જવા ઇચ્છુક લોકોની નોંધણી કરવા માટે પાંચ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.                                                   

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ
Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ
Embed widget