શોધખોળ કરો

Amarnath Yatra: આજથી અમરનાથ યાત્રા શરૂ, મંદિર માટે રવાના થયો શ્રદ્ધાળુઓને પહેલો જથ્થો

વાર્ષિક અમરનાથ યાત્રા માટે 4,400થી વધુ શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો શનિવારે અહીં ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થયો હતો. યાત્રિકોએ સવારે 188 વાહનોમાં બેઝ કેમ્પ છોડ્યા હતા

Amarnath Yatra: બાબા ભોલેનાથના દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. બાબા બર્ફાનીના દર્શન માટેની આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલતાલ બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓનો પ્રથમ જથ્થો ગુફા મંદિર માટે રવાના થયો છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શનિવારે સવારે શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પમાંથી નીકળી ગયા છે. બાલટાલથી મંદિર સુધીનો 13 કિમી લાંબો ટ્રેક કેટલાક અત્યંત જોખમી પર્વતીય પ્રદેશોમાંથી પસાર થાય છે, જ્યાં લૉકલ ગાઇડ અને ટટ્ટુઓ શ્રદ્ધાળુઓ માટે કામમાં આવે છે.

વાર્ષિક અમરનાથ યાત્રા માટે 4,400થી વધુ શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો શનિવારે અહીં ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થયો હતો. યાત્રિકોએ સવારે 188 વાહનોમાં બેઝ કેમ્પ છોડ્યા હતા, જેનાથી અમરનાથ યાત્રા માટે જમ્મુ બેઝ કેમ્પ છોડનારા યાત્રાળુઓની કુલ સંખ્યા 7,904 થઈ ગઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે 2,733 શ્રદ્ધાળુઓ સવારે 4.50 વાગ્યે 94 વાહનોમાં પહેલગામ જવા નીકળ્યા હતા, જ્યારે 1,683 શ્રદ્ધાળુઓ લગભગ એક કલાક વહેલા 92 વાહનોમાં બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે સવારે ભગવતી નગર બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપી હતી. અમરનાથની 62 દિવસીય યાત્રા શનિવારે કાશ્મીરથી શરૂ થઈ હતી.

આ યાત્રા માટે બે રૂટ છે. એક અનંતનાગ જિલ્લામાં 48 કિમી લાંબો પરંપરાગત નુનવાન-પહેલગાવ માર્ગ, જ્યારે બીજો ગાંદરબલ જિલ્લામાં બાલટાલ માર્ગ છે, જે લગભગ 14 કિમી ટૂંકો છે પરંતુ અત્યંત મુશ્કેલ છે. યાત્રામાં ભાગ લેનાર શ્રદ્ધાળુએ કહ્યું, “અમને અમરનાથની યાત્રા શરૂ કરીને ખૂબ જ આનંદ થાય છે. હું હંમેશા હિમ શિવલિંગના દર્શન કરવા માંગતો હતો.” ભગવતી નગર બેઝ કેમ્પની આસપાસ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુમાં 33 આવાસ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે અને ભક્તોને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેગ આપવામાં આવી રહ્યા છે. યાત્રા પર જવા ઇચ્છુક લોકોની નોંધણી કરવા માટે પાંચ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.                                                   

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Embed widget