શોધખોળ કરો

Amarnath Yatra: આજથી અમરનાથ યાત્રા શરૂ, મંદિર માટે રવાના થયો શ્રદ્ધાળુઓને પહેલો જથ્થો

વાર્ષિક અમરનાથ યાત્રા માટે 4,400થી વધુ શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો શનિવારે અહીં ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થયો હતો. યાત્રિકોએ સવારે 188 વાહનોમાં બેઝ કેમ્પ છોડ્યા હતા

Amarnath Yatra: બાબા ભોલેનાથના દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. બાબા બર્ફાનીના દર્શન માટેની આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલતાલ બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓનો પ્રથમ જથ્થો ગુફા મંદિર માટે રવાના થયો છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શનિવારે સવારે શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પમાંથી નીકળી ગયા છે. બાલટાલથી મંદિર સુધીનો 13 કિમી લાંબો ટ્રેક કેટલાક અત્યંત જોખમી પર્વતીય પ્રદેશોમાંથી પસાર થાય છે, જ્યાં લૉકલ ગાઇડ અને ટટ્ટુઓ શ્રદ્ધાળુઓ માટે કામમાં આવે છે.

વાર્ષિક અમરનાથ યાત્રા માટે 4,400થી વધુ શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો શનિવારે અહીં ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થયો હતો. યાત્રિકોએ સવારે 188 વાહનોમાં બેઝ કેમ્પ છોડ્યા હતા, જેનાથી અમરનાથ યાત્રા માટે જમ્મુ બેઝ કેમ્પ છોડનારા યાત્રાળુઓની કુલ સંખ્યા 7,904 થઈ ગઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે 2,733 શ્રદ્ધાળુઓ સવારે 4.50 વાગ્યે 94 વાહનોમાં પહેલગામ જવા નીકળ્યા હતા, જ્યારે 1,683 શ્રદ્ધાળુઓ લગભગ એક કલાક વહેલા 92 વાહનોમાં બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે સવારે ભગવતી નગર બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપી હતી. અમરનાથની 62 દિવસીય યાત્રા શનિવારે કાશ્મીરથી શરૂ થઈ હતી.

આ યાત્રા માટે બે રૂટ છે. એક અનંતનાગ જિલ્લામાં 48 કિમી લાંબો પરંપરાગત નુનવાન-પહેલગાવ માર્ગ, જ્યારે બીજો ગાંદરબલ જિલ્લામાં બાલટાલ માર્ગ છે, જે લગભગ 14 કિમી ટૂંકો છે પરંતુ અત્યંત મુશ્કેલ છે. યાત્રામાં ભાગ લેનાર શ્રદ્ધાળુએ કહ્યું, “અમને અમરનાથની યાત્રા શરૂ કરીને ખૂબ જ આનંદ થાય છે. હું હંમેશા હિમ શિવલિંગના દર્શન કરવા માંગતો હતો.” ભગવતી નગર બેઝ કેમ્પની આસપાસ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુમાં 33 આવાસ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે અને ભક્તોને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેગ આપવામાં આવી રહ્યા છે. યાત્રા પર જવા ઇચ્છુક લોકોની નોંધણી કરવા માટે પાંચ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.                                                   

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

વિડિઓઝ

Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?
Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો
Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
CSK vs RR: ચેન્નાઈની મુશ્કેલી વધારી શકે છે રાજસ્થાનના આ 5 ખેલાડીઓ; લીસ્ટમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ
CSK vs RR: ચેન્નાઈની મુશ્કેલી વધારી શકે છે રાજસ્થાનના આ 5 ખેલાડીઓ; લીસ્ટમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ
RR vs CSK Live Streaming: જીત સાથે અભિયાનની શરૂઆત કરવા માંગશે રાજસ્થાન અને ચેન્નઈ
RR vs CSK Live Streaming: જીત સાથે અભિયાનની શરૂઆત કરવા માંગશે રાજસ્થાન અને ચેન્નઈ
Embed widget